અંકલેશ્વર: મકાન બંધ કરી પરિવાર દિલ્હી સામાજિક પ્રસંગમાં ગયો, તસ્કરો રૂ.1 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર !

અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આવેલ રાધે પાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રૂપિયા એક લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

New Update
  • અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

  • ભડકોદ્રાની રાધેપાર્ક સોસા.માં તસ્કરો ત્રાટકયા

  • પરિવાર મકાન બંધ કરી દિલ્હી ગયો હતો

  • રૂ.1 લાખના માલમત્તાની ચોરી

  • જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આવેલ રાધે પાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રૂપિયા એક લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે આવેલ રાધે પાર્ક મકાન નંબર 103 માં રહેતા પાલ રાજકરન બે દિવસ પૂર્વે દિલ્હી ખાતે સામાજિક પ્રસંગમાં ઘર બંધ કરી ગયા હતા તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના આગળના દરવાજાનો નકુચા અને લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ તિજોરી તેમજ કબાટમાં ખાંખાખોળા કરી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે પાડોશી દ્વારા જાણ કરવામાં આવતા તેઓ દિલ્હીથી પરત ઘરે આવ્યા હતા.આ અંગે જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રૂ. 1.7 લાખના મુદ્દામાલની ચોરી અંગેનો ગુનો નોંધી ફરાર તસ્કરોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.