અંકલેશ્વર: મકાન બંધ કરી પરિવાર દિલ્હી સામાજિક પ્રસંગમાં ગયો, તસ્કરો રૂ.1 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર !

અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આવેલ રાધે પાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રૂપિયા એક લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

New Update
  • અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

  • ભડકોદ્રાની રાધેપાર્ક સોસા.માં તસ્કરો ત્રાટકયા

  • પરિવાર મકાન બંધ કરી દિલ્હી ગયો હતો

  • રૂ.1 લાખના માલમત્તાની ચોરી

  • જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આવેલ રાધે પાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રૂપિયા એક લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે આવેલ રાધે પાર્ક મકાન નંબર 103 માં રહેતા પાલ રાજકરન બે દિવસ પૂર્વે દિલ્હી ખાતે સામાજિક પ્રસંગમાં ઘર બંધ કરી ગયા હતા તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના આગળના દરવાજાનો નકુચા અને લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ તિજોરી તેમજ કબાટમાં ખાંખાખોળા કરી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે પાડોશી દ્વારા જાણ કરવામાં આવતા તેઓ દિલ્હીથી પરત ઘરે આવ્યા હતા.આ અંગે જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રૂ. 1.7 લાખના મુદ્દામાલની ચોરી અંગેનો ગુનો નોંધી ફરાર તસ્કરોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.