New Update
-
અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ
-
ભડકોદ્રાની રાધેપાર્ક સોસા.માં તસ્કરો ત્રાટકયા
-
પરિવાર મકાન બંધ કરી દિલ્હી ગયો હતો
-
રૂ.1 લાખના માલમત્તાની ચોરી
-
જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આવેલ રાધે પાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રૂપિયા એક લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે આવેલ રાધે પાર્ક મકાન નંબર 103 માં રહેતા પાલ રાજકરન બે દિવસ પૂર્વે દિલ્હી ખાતે સામાજિક પ્રસંગમાં ઘર બંધ કરી ગયા હતા તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના આગળના દરવાજાનો નકુચા અને લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ તિજોરી તેમજ કબાટમાં ખાંખાખોળા કરી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે પાડોશી દ્વારા જાણ કરવામાં આવતા તેઓ દિલ્હીથી પરત ઘરે આવ્યા હતા.આ અંગે જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રૂ. 1.7 લાખના મુદ્દામાલની ચોરી અંગેનો ગુનો નોંધી ફરાર તસ્કરોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.