અંકલેશ્વર: મહાવીર ટર્નિંગ નજીક રેલવેના કન્ટેનર યાર્ડ બહાર આગ લાગતા દોડધામ !

અંકલેશ્વરમાં ફરી એક વખત આગનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક રેલવે વિભાગનું કન્ટેનર યાર્ડ આવેલું છે. આ કન્ટેનર યાર્ડ નજીક આગનો બનાવ બન્યો

New Update

અંકલેશ્વરમાં ફરીએકવાર આગનો બનાવ

રેલવેના કન્ટેનર યાર્ડ નજીક લાગી આગ

કચરો અને સૂકા ઘાસમાં આગ ફાટી નિકળી

ધુમાડાના ગોટેગોટા નજરે પડયા

ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ રેલવે વિભાગના કન્ટેનર યાર્ડ નજીક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરમાં ફરી એક વખત આગનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક રેલવે વિભાગનું કન્ટેનર યાર્ડ આવેલું છે. આ કન્ટેનર યાર્ડ નજીક આગનો બનાવ બન્યો હતો.
કન્ટેનર યાર્ડની બહાર કચરા અને સૂકા ઘાસમાં આગ ફાટી નીકળી હતી જેના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.આ અંગેની જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
જો કે નજીકમાં જ કન્ટેનર હોવાથી ચિંતા ફેલાઈ હતી કારણ કે અંકલેશ્વરમાંથી કેમિકલ સહિતની ચીજવસ્તુની કન્ટેનરમાં જ નિકાસ કરવામાં આવે છે અને નજીકથી જ રેલવે લાઇન પણ પસાર થાય છે ત્યારે આગ પર કાબુ મેળવાઈ જતા મોટી દુર્ઘટના ટળી કહી શકાય. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી બહાર આવી શક્યું નથી.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.