New Update
અંકલેશ્વરમાં ફરીએકવાર આગનો બનાવ
રેલવેના કન્ટેનર યાર્ડ નજીક લાગી આગ
કચરો અને સૂકા ઘાસમાં આગ ફાટી નિકળી
ધુમાડાના ગોટેગોટા નજરે પડયા
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ રેલવે વિભાગના કન્ટેનર યાર્ડ નજીક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરમાં ફરી એક વખત આગનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક રેલવે વિભાગનું કન્ટેનર યાર્ડ આવેલું છે. આ કન્ટેનર યાર્ડ નજીક આગનો બનાવ બન્યો હતો.
કન્ટેનર યાર્ડની બહાર કચરા અને સૂકા ઘાસમાં આગ ફાટી નીકળી હતી જેના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.આ અંગેની જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
જો કે નજીકમાં જ કન્ટેનર હોવાથી ચિંતા ફેલાઈ હતી કારણ કે અંકલેશ્વરમાંથી કેમિકલ સહિતની ચીજવસ્તુની કન્ટેનરમાં જ નિકાસ કરવામાં આવે છે અને નજીકથી જ રેલવે લાઇન પણ પસાર થાય છે ત્યારે આગ પર કાબુ મેળવાઈ જતા મોટી દુર્ઘટના ટળી કહી શકાય. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી બહાર આવી શક્યું નથી.