અંકલેશ્વર: કોર્ટમાં વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન, 3292 કેસ રજૂ કરાયા

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જીલ્લામાં આવેલ ન્યાયાલય ખાતે લોક અદાલતો યોજાઈ હતી.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરાયુ

  • વર્ષની પ્રથમ લોક અદાલત યોજાય

  • 3292 કેસનો કરવામાં આવ્યો નિકાલ

  • ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વર કોર્ટ ખાતે વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3292 કેસ રજૂ કરવામાં આવ્યા હતા
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જીલ્લામાં આવેલ ન્યાયાલય ખાતે લોક અદાલતો યોજાઈ હતી.જેના ભાગરૂપે અંકલેશ્વર ખાતે સેકન્ડ એડિશનલ જજ એસ.ડી.પાંડેની અધ્યક્ષતમાં વર્ષની પ્રથમ લોક અદાલત યોજાઈ હતી જેમાં વિવિધ ૩૨૯૨ જેટલા કેસો મુકવામાં આવ્યા હતા.આ લોક અદાલતમાં લગ્નવિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સીવીલ દાવા, એમ.એ.સી.પી. અને જમીન સંપાદન વળતરના કેસ મુકવામાં આવ્યા હતા.જેનો સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો.લોકાદલતમાં ન્યાયાધીશ,ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા
Advertisment
Read the Next Article

ભરૂચ : ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..!

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

New Update
  • ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં ફેલાયું પ્રદૂષણ

  • નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

  • અગાઉ પ્રદુષિત પાણીથી થયા હતા ગાય અને જળચરોના મોત

  • આ મામલે GPCB દ્વારા યોગ્ય તપાસની સ્થાનિકો દ્વારા માંગ

  • પ્રદુષિત પાણી છે કે કેમ તે અંગે કનેક્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી

Advertisment

ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છેત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છેતે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છેત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનો પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ તરફકેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આમલાખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતાત્યારે નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જોકેકોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદુષિત છે કેકેમ... તેની પુષ્ટી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી. પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે.

Advertisment