અંકલેશ્વર: કોર્ટમાં વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન, 3292 કેસ રજૂ કરાયા

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જીલ્લામાં આવેલ ન્યાયાલય ખાતે લોક અદાલતો યોજાઈ હતી.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરાયુ

  • વર્ષની પ્રથમ લોક અદાલત યોજાય

  • 3292 કેસનો કરવામાં આવ્યો નિકાલ

  • ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર કોર્ટ ખાતે વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3292 કેસ રજૂ કરવામાં આવ્યા હતા
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જીલ્લામાં આવેલ ન્યાયાલય ખાતે લોક અદાલતો યોજાઈ હતી.જેના ભાગરૂપે અંકલેશ્વર ખાતે સેકન્ડ એડિશનલ જજ એસ.ડી.પાંડેની અધ્યક્ષતમાં વર્ષની પ્રથમ લોક અદાલત યોજાઈ હતી જેમાં વિવિધ ૩૨૯૨ જેટલા કેસો મુકવામાં આવ્યા હતા.આ લોક અદાલતમાં લગ્નવિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સીવીલ દાવા, એમ.એ.સી.પી. અને જમીન સંપાદન વળતરના કેસ મુકવામાં આવ્યા હતા.જેનો સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો.લોકાદલતમાં ન્યાયાધીશ,ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચ: દાંડિયા બજારમાં યુવાને મિલકતના ઝઘડામાં ગળુ કાપી આપઘાતનો કર્યો પ્રયાસ, ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસરડાયો

ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે.

New Update
  • ભરૂચના દાંડિયા બજારનો બનાવ

  • યુવાને આપઘાતનો કર્યો પ્રયાસ

  • ગળુ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો

  • મિલકતના ઝઘડામાં જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં મિલ્કતના ઝઘડામાં યુવાને પોતાનું ગળું કાપી નાખતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર માટે સુરત ખસેડાયો છે.
ભરૂચના દાંડિયાબજારમાં મિલ્કતના ઝઘડા વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે. 10 વર્ષથી ચાલતી કાયદાકીય લડત બાદ કંટાળેલા સ્થાનિક યુવાન ચેતન પટેલે ગતરોજ બપોરે ઘરમાં એકલો હોવા દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે.
હાલ ચેતનની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે એ ડિવિઝન પોલીસે ઇજાગ્રસ્તના પરિવારજનોની જાણવા જોગ ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ચેતન સભાન અવસ્થામાં આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.