અંકલેશ્વર: કાપોદ્રા ગામે એલ્યુવસ લાઈફ  સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી વન વિકસવાશે, 25 હજાર વૃક્ષનું કરાશે વાવેતર

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એલ્યુવસ લાઈફ  સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષ વાવવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update
  • અંકલેશ્વરમાં આવેલી છે એલ્યુવસ કંપની

  • કંપની દ્વારા સરાહનીય કાર્ય હાથ ધરાયુ

  • 25 હજાર વૃક્ષનું કરવામાં આવશે વાવેતર

  • મિયાંવાંકી પદ્ધતિથી વન વિકસાવવામાં આવશે

  • હવા શુદ્ધ બને એ હેતુથી મેગા પ્લાન્ટેશનનું આયોજન

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એલ્યુવસ લાઈફ  સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષ વાવવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ એલ્યુવસ લાઇફ સાયન્સ કંપની કે જે પહેલા ગ્લેનમાર્ક ઇન્ડિયા કંપની તરીકે ઓળખાતી હતી તેના દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કંપની દ્વારા પર્યાવરણની જાળવણીના હેતુસર કાપોદ્રા ગામમાં મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષોનું વાવેતર કરવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજયોનલ મેનેજર વિજય રાખોલીયા તેમજ કંપનીના અધિકારીઓને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાપોદ્રા ગામમાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષો વાવી વન તૈયાર કરવામાં આવશે જેમાં બટર ફ્લાયપાર્ક, આરોગ્ય વન અને ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવશે.અંકલેશ્વરની હવા શુદ્ધ બને તે હેતુસર આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેમાં જાપાનની મીયાવાંકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..