અંકલેશ્વર: તાડફળિયામાં રૂ.16 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઈનના કામનું ખાતમુર્હુત કરાયુ

તાડ ફળિયા વિસ્તારમાં ગટરની સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા આ અંગે રહીશોએ સ્થાનિક નગર સેવકો સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસ કાર્યો

  • તાડ ફળિયામાં વિકાસના કર્યો હાથ ધરાયા

  • ડ્રેનેજ લાઇનનું કરાશે નિર્માણ

  • રૂ.16 લાખનો કરવામાં આવશે ખર્ચ

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર નગર પાલિકાના વોર્ડ નંબર-૨માં આવેલ તાડ ફળિયા વિસ્તારમાં ૧૬ લાખના ખર્ચે બનનાર ડ્રેનેજ લાઈનના કામનું ખાતમુહુર્ત કરાયું  અંકલેશ્વર નગર પાલિકાના વોર્ડ નંબર-૨માં આવેલ તાડ ફળિયા વિસ્તારમાં ગટરની સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા આ અંગે રહીશોએ સ્થાનિક નગર સેવકો સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી.
જે રજૂઆતને ધ્યાનમાં રાખી ૧૬ લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.જે ડ્રેનેજ લાઈનના કામનું આજરોજ પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.આ ખાતમુહુર્તમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહીત સ્થાનિક નગર સેવકો તેમજ રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

ગુરુપૂર્ણિમાના પર્વની ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

New Update
  • આજે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ

  • ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા

  • સનાતન ધર્મ પરિવાર દ્વારા ઉજવણી કરાય

  • ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ આપી હાજરી

ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા ગુરુપૂર્ણિમાના પર્વની ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુઆશ્રમ રામેશ્વર મહાદેવ મંદિર નજીક ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પાવન અવસરે પરમ પૂજ્ય સોમદાસ બાપુના દર્શન અને આશીર્વાદ માટે ભક્તોનો ઘસારો જોવા મળ્યો.વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સનાતન ધર્મ પરિવારના ધનજી પરમાર અને બલદેવ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભજન સંધ્યા, પૂજા-અર્ચના અને ગુરુવંદના ગુંજ્યાં હતાં. ભક્તોએ ગુરુ પરંપરાની મહત્તા પર પ્રવચનો સાંભળીને આધ્યાત્મિક અનુભૂતિ કરી.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત શહેરના અનેક અગ્રણીઓએ પણ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા. ઉપરાંત, લાયન્સ ક્લબ અંકલેશ્વર અને સનાતન ધર્મ પરિવારના સહયોગથી મેડિકલ કેમ્પ તથા આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.