અંકલેશ્વર: GIDCમાં રામનવમીના પાવન અવસરે પંચદેવ મંદિરનો શિલાન્યાસ કરાયો, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નિર્માણ પામનાર પંચદેવ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં યોજાયો કાર્યક્રમ

  • પંચદેવ મંદિરનું કરાશે નિર્માણ

  • રામનવમીના પાવમ અવસરે કાર્યક્રમ યોજાયો

  • મંદિરનો શિલાન્યાસ કરાયો

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નિર્માણ પામનાર પંચદેવ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પંચદેવ પાર્કમાં પંચદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પંચદેવનું મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેનો રામનવમીના પાવન અવસરે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોકત વિધિ અનુસાર મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.પંચદેવ મંદિરમાં ભગવાન શ્રી ગણેશ, અંબાજી મંદિર, મહાદેવ મંદિર, રામ મંદિર તેમજ પવનપુત્ર હનુમાનજીના મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવશે જે ભક્તોની  અનન્ય આસ્થાનું કેન્દ્ર બનશે.
Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.