New Update
-
અંકલેશ્વર જીઆઈડીસીમાં યોજાયો કાર્યક્રમ
-
પંચદેવ મંદિરનું કરાશે નિર્માણ
-
રામનવમીના પાવમ અવસરે કાર્યક્રમ યોજાયો
-
મંદિરનો શિલાન્યાસ કરાયો
-
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નિર્માણ પામનાર પંચદેવ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પંચદેવ પાર્કમાં પંચદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પંચદેવનું મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેનો રામનવમીના પાવન અવસરે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોકત વિધિ અનુસાર મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.પંચદેવ મંદિરમાં ભગવાન શ્રી ગણેશ, અંબાજી મંદિર, મહાદેવ મંદિર, રામ મંદિર તેમજ પવનપુત્ર હનુમાનજીના મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવશે જે ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર બનશે.