અંકલેશ્વર: રાજપીપળા રોડ પર આવેલ શાંતિ નગરમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયુ, એક આરોપીની ધરપકડ

એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ યોગી નગર સ્થિત શાંતિનગર નગરમાં અનુરાધા કોમ્પલેક્ષમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ ચાલી રહ્યું છે.

New Update
  • અંકલેશ્વરમાં ભરૂચ એસ.ઓ.જી.ની કાર્યવાહી

  • રાજપીપળા રોડ પરથી ઝડપાયું કૌભાંડ

  • શાંતિનગરમાંથી ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાયું

  • એક આરોપીની પોલીસે કરી ધરપકડ

  • રૂપિયા 15 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ યોગી નગરમાંથી ગેરકાયદેસર રીતે ચાલતું ગેસ રીફીલીંગ કૌભાંડ પકડી પાડી એક ઈસમને ઝડપી પાડ્યો હતો  ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ યોગી નગર સ્થિત શાંતિનગર નગરમાં અનુરાધા કોમ્પલેક્ષમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ ચાલી રહ્યું છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી ગેસના નાના-મોટા સીલીન્ડર નંગ-૧૩ અને રીફીલીંગ પાઈપ,ઈલેક્ટ્રીકલ વજન કાંટો મળી કુલ ૧૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી યોગી નગરમાં રહેતો વેપારી બાબુ સીરાજ અન્સારીને ઝડપી પાડ્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: સુરવાડી ટી બ્રિજ પર વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સળિયા દેખાવા લાગ્યા, તંત્રએ થીંગડા માર્યા બાદ પણ પરિસ્થિતિ યથાવત

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે.

New Update
  • ટી બ્રિજ પર ખાડા પડવાની શરૂઆત

  • સુરવાડી ટી બ્રિજનો રસ્તો જર્જરીત હાલતમાં

  • બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા

  • વાહન ચાલકોમાં અકસ્માતની દહેશત

  • તંત્ર દ્વારા થીંગડા માર્યા બાદ પણ કોઈ સુધારો નહીં

અંકલેશ્વરના સુરવાડી ટી બ્રિજ પર વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સળિયા દેખાવા લાગતા વાહનચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે,ત્યારે તંત્ર દ્વારા બ્રિજના માર્ગ પર થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી હતી,પરંતુ પુનઃ ખાડામાં સળિયા દેખાવા લાગ્યા હતા.

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. અંદાજે 104.80 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજ પર એક વર્ષમાં જ ખાડા દેખાવા માંડ્યા હતા.જેના પગલે તંત્ર દ્વારા વારંવાર ડામરના થીંગડા મારવા પડી રહ્યા છે.4 મહિના પૂર્વે પણ માર્ચ માસમાં સળિયા દેખાવાના  અહેવાલ પ્રકાશિત થતા જ ત્યાં સિમેન્ટના થીંગડા મારી દેવામાં આવ્યા હતા.જે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં પુનઃ નીકળી જતા હવે તો પહેલા કરતા વધુ સળિયા બહાર આવી ગયા છે,અને આખે આખી સળિયાની જાળી બહાર આવી ગઈ છે.ત્યારે તંત્ર દ્વારા ફરી એકવાર સિમેન્ટનું લીપણ કરીને થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી હતી.જોકે આ સમારકામ વરસાદના જોર સામે વધુ ટક્યું નહોતું,અને પુનઃ બ્રિજના માર્ગ પર સળિયા દેખાવા લાગતા વાહનચાલકો અકસ્માતનો ભય વ્યક્ત કરી રહ્યા છે.