અંકલેશ્વર: GIDCની એપેક્ષ હેલ્થકેર કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, 100 યુનિટ રક્ત એકત્રિત કરાયુ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એપેક્ષ હેલ્થ કેર લીમીટેડ કામોની  ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • એપેક્ષ હેલ્થકેર કંપની દ્વારા આયોજન

  • રક્તદાન શિબિર યોજાય

  • 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરાયુ

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એપેક્ષ હેલ્થ કેર લીમીટેડ કામોની  ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
અંકલેશ્વર-પાનોલી જી.આઈ.ડી.સી.ની કંપનીઓ સામાજિક સેવામાં અગ્રેસર બને તે હેતુથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એપેક્ષ હેલ્થ કેર લીમીટેડ અને ગ્રુપ કંપનીઓ દ્વારા યુનિટી બ્લડ સેન્ટર ખાતે એફ.ડી.સી.એ.ભરૂચ અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં વિવિધ કંપનીઓના માલિકો અને સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.કેમ્પમાં એપેક્ષ હેલ્થ કેરના ડાયરેકર રમેશ ગાબાણી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ભરૂચ આસિસ્ટન્ટ કમિશ્નર એમ.પી.નાકરાણી તેમજ અન્ય કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.આ રક્તદાન શિબિરમાં 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું 
Read the Next Article

ભરૂચ: આમોદ નગરમાં ઉભરાતી ગટરોની સમસ્યાથી મળશે મુક્તિ, નગર સેવા સદન દ્વારા સાફ સફાઈ શરૂ કરાય

નગરપાલિકા તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે કે નાગરિકોએ પોતાના ઘરનાં ભૂગર્ભ કનેક્શન્સ પર લોખંડની જાળી લગાવવી જોઈએ જેથી ગટર જામ થવાની સમસ્યા ટાળી શકાય. 

New Update
Amod nagarpalika
ભરૂચ આમોદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાતાની ઘટનાઓ સામે આવતા શહેરીજનોમાં ચિંતા પ્રસરી હતી. નાગરિકોએ આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. આ અંગે સમાચાર મીડિયામાં પ્રકાશિત થતાં જ નગરપાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક પગલાં ભરી કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી.નગરપાલિકા સ્ટાફ અને સફાઈ કામદારો દ્વારા  શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરોની સફાઈ હાથ ધરવામાં આવી હતી.
નગરપાલિકા એસ.આઈ.ના જણાવ્યા મુજબ મારુવાસ વિસ્તારમાં ગટરમાંથી પ્લાસ્ટિકની બોટલો, કપડા અને અન્ય કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે દરબારી હોલ પાસેની ગટરની પાઈપલાઈનમાંથી પ્લાસ્ટિકના ગ્લાસ, ચમચી અને કંતાન જેવી સામગ્રી મળી આવી હતી, જેના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ થયો હતો.
નગરપાલિકા તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે કે નાગરિકોએ પોતાના ઘરનાં ભૂગર્ભ કનેક્શન્સ પર લોખંડની જાળી લગાવવી જોઈએ જેથી આવી વસ્તુઓ ગટર પાઈપલાઈન સુધી ન પહોંચે અને ગટર જામ થવાની સમસ્યા ટાળી શકાય.