અંકલેશ્વર: GPCB દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રન-વોક કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં લોકો જોડાયા

અંકલેશ્વર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કાર્યક્રમનું આયોજન

  • વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

  • રન-વોક કાર્યક્રમ યોજાયો

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

  • નો પ્લાસ્ટિક અને પર્યાવરણ બચાવોનો સંદેશ અપાયો

અંકલેશ્વર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સે નો ટુ પ્લાસ્ટિક અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ રન અને વોક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો જોગર્સ પાર્ક ખાતેથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલ સુધી યોજાયેલા દોડમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા અને પર્યાવરણ બચાવો તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજયોનલ ઓફિસર વિજય રાખોલીયા, રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.