અંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન, તૈયારીઓને અંતિમ ઓપ આપતા આયોજકો...

ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ મોટાપાયે આયોજન કરવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે.

New Update
  • સેવાકીય ક્ષેત્રે પોતાનું દાયિત્વ નિભાવતું ગુંજ સોશ્યલ ગ્રુપ

  • નવરાત્રી મહોત્સવ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજનો

  • ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા-અંકલેશ્વર દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાશે

  • ગુપ્તા ફાર્મ ખાતે 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન

  • ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ-સભ્યો દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે રવિવારના રોજ 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છેત્યારે આયોજકો દ્વારા લગ્નોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સામાજિક કાર્યો થકી સેવાકીય ક્ષેત્રે પોતાનું દાયિત્વ નિભાવતા ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા સતત સેવાનો પ્રવાહ વહેડાવવામાં આવે છે. ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ મોટાપાયે આયોજન કરવામાં આવે છેત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામકુંડના મહંતશ્રી 1008 ગંગાદાસજી બાપુની પ્રેરણાથી ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન થવા જઈ રહ્યું છે.

ગુંજ સોશ્યલ ગ્રુપ-અંકલેશ્વર દ્વારા શહેરના દીવા રોડ પર આવેલ ગુપ્તા ફાર્મ ખાતે તા. 23 ફેબ્રુઆરી-2025 રવિવારના રોજ 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશેત્યારે ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સહિતના સભ્યો દ્વારા લગ્નોત્સવની તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.