અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા રાહતદરે ડાયરાના વિતરણનો પ્રારંભ,મોદી નગર ખાતે સેન્ટર શરૂ કરાયું

અંકલેશ્વરના ગુંજ  સોશિયલ ગ્રુપ દ્વારા મોદી નગર ખાતે રાહતદરે ડાયરા વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે,વિદ્યાર્થીઓને 12 નંગ ડાયરા 300 રૂપિયાના રાહતદરે મળી રહેશે.

New Update
  • ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સેવાકીય કાર્ય

  • રાહતદરે ડાયરાનું વિતરણ કર્યું શરૂ

  • મોદી નગર ખાતે સેન્ટરની કરાઈ શરૂઆત

  • રૂ.300માં વિદ્યાર્થીઓને મળશે 12 નંગ ડાયરા

  • વનવાસી છાત્રાલયને 6000 નંગ ડાયરાનું કર્યું દાન 

Advertisment

અંકલેશ્વરના ગુંજ  સોશિયલ ગ્રુપ દ્વારા મોદી નગર ખાતે રાહતદરે ડાયરા વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે,વિદ્યાર્થીઓને 12 નંગ ડાયરા 300 રૂપિયાના રાહતદરે મળી રહેશે. આ ઉપરાંત અંદાડા ગામના શ્રી ભૃગુઋષિ વનવાસી કુમાર છાત્રાલય  ખાતે વિનામૂલ્યે 6 હજાર નંગ ડાયરાનું દાન પણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરનું ગુંજ સોશિયલ ગ્રુપ સામાજિક કાર્યમાં સદા અગ્રેસર રહી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ,નવરાત્રી મહોત્સવ તેમજ કોઈ પણ આપદામાં સતત લોકોની પડખે રહી લોક સેવાની સુવાસ ફેલાવી રહ્યું છે.આ ઉપરાંત ગુંજ  સોશિયલ ગ્રુપ દર વર્ષે વિદ્યાર્થીઓ માટે રાહત દરે ડાયરાનું વિતરણ કરવામાં આવે છે.ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા હાંસોટ રોડ ઉપર મોદી નગર પાસે રાહતદરે ડાયરા વિતરણનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં 12 નંગ ડાયરાના 300 રૂપિયાના નજીવા ભાવે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા ,ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ ,ભાવેશ વામજા ,રાહુલ વામજા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા,અને ડાયરાના વેચાણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,વધુમાં  અંદાડા ગામની શ્રી ભૃગુઋષિ વનવાસી કુમાર છાત્રાલય  ખાતે વિનામૂલ્યે 6 હજાર નંગ  ડાયરાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.