અંકલેશ્વર: કોસમડી નજીક ભરાતા હાટ બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ,તંત્રની સુચનાનું પાલન ક્યારે ?

અંકલેશ્વરના કોસમડી ગામ નજીક દર શનિવારે ભરાતા હાટ બજારના પગલે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા

New Update
  • અંકલેશ્વરમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ

  • હાટ બજારના કારણે ટ્રાફિકજામ

  • કોસમડી ગામ નજીક ભરાય છે હાટ બજાર

  • તંત્રની સૂચનાઓનું પાલન નહીં

  • સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ

અંકલેશ્વરના કોસમડી ગામ નજીક દર શનિવારે ભરાતા હાટ બજારના પગલે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા
અંકલેશ્વરમાં કોસમડી ગામ નજીક દર શનિવારે હાટ બજાર ભરાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે ઉમટી પડે છે પરંતુ આડેધડ કરવામાં આવતા પાર્કિંગ અને લારી તેમજ ગલ્લાઓ મુખ્ય માર્ગને અડીને જ ઉભા કરી દેવામાં આવતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગતરોજ પણ ભરાયેલ હાટ બજારના પગલે મુખ્ય માર્ગ પર કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રાફિકજામ તેમજ ગંદકી સહિતના પ્રશ્ને અંકલેશ્વર મામલતદાર દ્વારા તમામ હાટ બજાર બંધ રાખવાના આદેશ અપાયા બાદ વેપારીઓની રજૂઆતને ધ્યાને રાખી હાટ બજાર ચાલુ રાખવા અંગે મંજૂરી આપવામાં આવી હતીમજોકે તેમાં ટ્રાફિકને અડચણ ન થાય અને સાફ-સફાઈની શરતે આ મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તંત્રએ જે શરત મૂકી હતી તેનું પાલન ન થતું હોવાનું લાગી રહ્યું છે. સમી સાંજના સમયે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે અનેક વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ત્યારે આ બાબતે હાટબજારના સંચાલકો અને તંત્ર કોઈ નિરાકરણ લાવે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે.
Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.