અંકલેશ્વર: કોસમડી નજીક ભરાતા હાટ બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ,તંત્રની સુચનાનું પાલન ક્યારે ?

અંકલેશ્વરના કોસમડી ગામ નજીક દર શનિવારે ભરાતા હાટ બજારના પગલે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા

New Update
  • અંકલેશ્વરમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ

  • હાટ બજારના કારણે ટ્રાફિકજામ

  • કોસમડી ગામ નજીક ભરાય છે હાટ બજાર

  • તંત્રની સૂચનાઓનું પાલન નહીં

  • સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ

અંકલેશ્વરના કોસમડી ગામ નજીક દર શનિવારે ભરાતા હાટ બજારના પગલે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા
અંકલેશ્વરમાં કોસમડી ગામ નજીક દર શનિવારે હાટ બજાર ભરાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે ઉમટી પડે છે પરંતુ આડેધડ કરવામાં આવતા પાર્કિંગ અને લારી તેમજ ગલ્લાઓ મુખ્ય માર્ગને અડીને જ ઉભા કરી દેવામાં આવતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગતરોજ પણ ભરાયેલ હાટ બજારના પગલે મુખ્ય માર્ગ પર કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રાફિકજામ તેમજ ગંદકી સહિતના પ્રશ્ને અંકલેશ્વર મામલતદાર દ્વારા તમામ હાટ બજાર બંધ રાખવાના આદેશ અપાયા બાદ વેપારીઓની રજૂઆતને ધ્યાને રાખી હાટ બજાર ચાલુ રાખવા અંગે મંજૂરી આપવામાં આવી હતીમજોકે તેમાં ટ્રાફિકને અડચણ ન થાય અને સાફ-સફાઈની શરતે આ મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તંત્રએ જે શરત મૂકી હતી તેનું પાલન ન થતું હોવાનું લાગી રહ્યું છે. સમી સાંજના સમયે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે અનેક વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ત્યારે આ બાબતે હાટબજારના સંચાલકો અને તંત્ર કોઈ નિરાકરણ લાવે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે.
Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.