અંકલેશ્વર: GIDCમાં ગેરકાયદેસર ઉભા કરાયેલ દબાણો હટાવાયા, પોલીસ બંદોબસ્ત સાથે રખાયો

ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

New Update
  • અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ઓથો.ની કામગીરી

  • ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

  • ચાણક્ય સ્કૂલ નજીકના દબાણ હટાવાયા

  • પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો

  • આવનારા સમયમાં પણ કામગીરી ચાલુ રહેશે

Advertisment
અંકલેશ્વર જીઆઇડીસી માં ગેરકાયદેસર ઉભા કરાયેલ દબાણ નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા

અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.જીઆઈડીસીમાં આવેલ ચાણક્ય સ્કૂલ નજીક માલધારીઓ પડાવ નાંખી રહેતા હતા. નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ આ દબાણો દૂર કરાયા હતા. દબાણકર્તાઓ સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. આગામની સમયમાં પણ જીઆઇડીસીના અન્ય વિસ્તારોમાં કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે

Advertisment
Read the Next Article

“સમાજની દીકરી સમાજમાં...” : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ દ્વારા 6ઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું...

આત્મીય હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત બ્રહ્મસમાજના સન્માનિત ભૂદેવોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

author-image
By Connect Gujarat Desk
New Update
  • સમાજની દીકરી સમાજમાં જ રહે તેવો ઉમદા ઉદ્દેશ

  • શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ દ્વારા આયોજન

  • આત્મીય હોલમાં જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું

  • સંમેલનમાં 200થી વધુ દીકરા-દીકરીઓએ ભાગ લીધો

  • સન્માનીત ભૂદેવોના સન્માનનું પણ વિશેષ આયોજન

Advertisment

સમાજની દીકરી સમાજમાં જ રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે ભરૂચ શહેરના આત્મીય હોલ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત ભૂદેવોના સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત બ્રહ્મસમાજના સન્માનિત ભૂદેવોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનના પ્રારંભે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મોતને ભેટેલા પર્યટકો તેમજ ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા ભારતના વીર સંપૂતોના સન્માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. પસંદગી સંમેલનમાં 200થી વધુ દીકરા-દીકરીઓએ ભાગ લીધો હતો.

આ સાથે જ સન્માનિત બ્રહ્મઆગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશીમહિલા અગ્રણી ગુજરાતના પ્રજ્ઞા રાવલભરૂચના બ્રહ્મ અગ્રણી અને જાણીતા કર્મકાંડી ગિરીશ શુક્લશ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલચેરમેન શૈલેષ દવેબ્રહ્મઅગ્રણી પ્રદીપ રાવલઅનિલ પંડ્યાવિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી અજય વ્યાસભરૂચ શહેર બ્રહ્મસમાજ પ્રમુખ હેમંત શુક્લ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી રાજુ ભટ્ટ તેમજ દિપ્તી ભટ્ટએ કર્યું હતું.

Advertisment