-
અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ઓથો.ની કામગીરી
-
ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
-
ચાણક્ય સ્કૂલ નજીકના દબાણ હટાવાયા
-
પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો
-
આવનારા સમયમાં પણ કામગીરી ચાલુ રહેશે
અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.જીઆઈડીસીમાં આવેલ ચાણક્ય સ્કૂલ નજીક માલધારીઓ પડાવ નાંખી રહેતા હતા. નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ આ દબાણો દૂર કરાયા હતા. દબાણકર્તાઓ સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. આગામની સમયમાં પણ જીઆઇડીસીના અન્ય વિસ્તારોમાં કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે