અંકલેશ્વર : ભાટવાડમાં મહિલા ઘર બંધ કરીને સામાન ખરીદવા જતા ચોરે હાથ સફાઈ કરી,રૂ.4 લાખની મત્તાની ચોરીથી ચકચાર

અંકલેશ્વર શહેરના ભાટવાડમાં સાંજના સમયે મહિલા ઘર બંધ કરી સમાન લેવા ગઈ હતી,તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું,

New Update
  • ભાટવાડમાં ચોરીની ઘટનાથી ચકચાર

  • મહિલા ઘર બંધ કરીને સામાન ખરીદવા ગઈ હતી

  • બંધ ઘરને નિશાન બનાવતા તસ્કરો

  • રૂપિયા 4 લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી ચોર ફરાર 

  • પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા શરૂ કરી તપાસ

અંકલેશ્વર શહેરના ભાટવાડમાં સાંજના સમયે મહિલા ઘર બંધ કરી સમાન લેવા ગઈ હતી,તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું,અને સોના-ચાંદી દાગીના અને રોકડ મળી રૂપિયા 4 લાખ ઉપરાંતની મત્તા પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ રોડ પર આવેલા ભાટવાડમાં રહેતા શેખ મહોમદ નઇમની પત્ની સાંજે 5 વાગ્યે ઘરમાં રમઝાન અનુલક્ષીને સફાઈ કરી ઘર બંધ કરી સામાન ખરીદી કરવા માટે 15થી 20 મિનિટ માટે ગયા હતા.તે દરમિયાન તસ્કરોએ તેના પહેલા માળે રહેલા મકાનને નિશાન બનાવ્યું હતું.અને ઘરમાં સર સામાન વેરવિખેર કરીને 5 તોલા ઉપરાંતના સોનાના દાગીના,ચાંદીના દાગીના સહિત અન્ય કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

સામાન ખરીદીને મહિલા 20 મિનિટ બાદ ઘરે પરત આવતા તેઓને ચોરીનો અણસાર આવ્યો હતો,અને તેણીએ પતિ નઈમને  જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા.જ્યાં સોના-ચાંદીના દાગીના ચોરી થયેલ હોવાનું જણાતા તેઓ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.અને જરૂરી તપાસ શરૂ કરી હતી.પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે.

Read the Next Article

ભરૂચ: અપનાઘર સોસા.માં દુષિત પાણીના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો, નગરપાલિકા પ્રશ્નનું નિરાકરણ લાવે એવી માંગ

ભરૂચ અપનાઘર સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.

New Update
  • ભરૂચની અપનાઘર સોસાયટીનો બનાવ

  • દુષિત પાણીના કારણે રહીશો પરેશાન

  • સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો

  • અધિકારીઓ પાણીના નમૂના લઈ જતા રહ્યા

  • હજુ સુધી પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં

ભરૂચ નગર સેવા સદનની હદમાં આવેલ આપના ઘર સોસાયટીમાં દુષિત પાણીના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અપના ઘર સોસાયટીના રહીશો હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે જેના કારણે સોસાયટીમાં માંદગીનું પ્રમાણ વધ્યુ છે.આ અંગે સ્થાનિકો નગરપાલિકામાં વારંવાર રજુઆત કરી હોવા છતા પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.સ્થાનિક મનહરભાઈના જણાવ્યા અનુસાર અધિકારીઓ દ્વારા પાણીના સેમ્પલ તો લેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી અને નળમાંથી ગંદુ પાણી આવવાનું હજુ પણ યથાવત જ છે.