અંકલેશ્વર: માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે શિવજીને ભાતના પીંડ ચઢાવવાની પ્રથા, જુઓ શું છે માન્યતા
અંકલેશ્વર ખાતે આવેલ મંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ કાળી ચૌદશની રાતે ભાત ના પીંડ ચઢાવવામાં આવે છે. પિતૃઓની શાંતિ માટે આ પ્રથા પ્રચલિત બની છે.
અંકલેશ્વર ખાતે આવેલ મંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ કાળી ચૌદશની રાતે ભાત ના પીંડ ચઢાવવામાં આવે છે. પિતૃઓની શાંતિ માટે આ પ્રથા પ્રચલિત બની છે.
ભરૂચ: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.
આ ટેક્નોલોજીમાં હયાત મટીરીયલને રીસાયકલ કરીને Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે.હાલ દેવલા ગામ પાસે ૫૦૦ મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ-૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.