અંકલેશ્વર: માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે શિવજીને ભાતના પીંડ ચઢાવવાની પ્રથા, જુઓ શું છે માન્યતા

અંકલેશ્વર ખાતે આવેલ મંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ કાળી ચૌદશની રાતે ભાત ના પીંડ ચઢાવવામાં આવે છે. પિતૃઓની શાંતિ માટે આ પ્રથા પ્રચલિત બની છે.

New Update

અંકલેશ્વરમાં આવેલ માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે અનોખી માન્યતા, શિવજીને ચઢાવાય છે ભાતના પિંડ

અંકલેશ્વર ખાતે આવેલ મંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ કાળી ચૌદશની રાતે ભાત ના પીંડ ચઢાવવામાં આવે છે. પિતૃઓની શાંતિ માટે આ પ્રથા પ્રચલિત બની છે. માંડેવ્યેશ્વર મહાદેવ મંદિર શિવજીને ભાતના પિંડ ચઢાવવામાં આવ્યા હતા
સમગ્ર ભારત વર્ષમાં માત્ર બે જ સ્થળોએ કાળી ચૌદશના દિવસે મહાદેવજીને ભાતના પીંડથી ઢાંકવામાં આવે છે.એક કાશીવિશ્વનાથ અને બીજુ અંકલેશ્વર સ્થિત મંડવ્યેશ્વર મહાદેવ મંદિર.અહી એવી કથા પ્રચલિત છે કે માંડવ્યેશ્વર ઋષિ અહી જ્યારે તપ કરતા હતા ત્યારે એક મહિલા વિધવા થઇ હતી અને તે એક શ્રાપના કારણે વિધવા થઇ હતી.તેણીએ સતી અનુસુયાના પગલે ચાલી ઘોર તપ કર્યું અને પોતાના પતિના પ્રાણ બચાવ્યા હતા અને અખંડ સૌભાગ્યવતીનું વરદાન મેળવ્યુ હતુ.આ પવિત્ર ભૂમિ પર કાળી ચૌદશના દિવસે ભગવાન મહાદેવને ભાતના પીંડ ચઢાવવા માં આવે છે. પોતાના સ્વજનોની આત્માની શાંતિ અર્થે આ વિધિ કરવામાં આવે છે. માંડેવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ કાળી ચૌદશના દિવસે ચઢાવાતા આ પિંડ પિતૃ દેવતાઓની શાંતિ અર્પે છે ભક્તો પણ શ્રદ્ધા પૂર્વક માંડેવ્યેશ્વર મહાદેવ પ્રત્યે આસ્થા ધરાવે છે. કાળી ચૌદશના દિવસે મોડી સાંજે મહાદેવજીને ભાતથી ઢાંકવામાં આવ્યા હતા. અને સમગ્ર પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચમાં ગ્રીન ટેક્નોલોજીથી માર્ગનું મજબુતીકરણ : ખાડાઓ ભૂતકાળ બનશે

ભરૂચ: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

New Update

ભરૂચ ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

આ ટેક્નોલોજીમાં હયાત મટીરીયલને રીસાયકલ કરીને Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે.હાલ દેવલા ગામ પાસે ૫૦૦ મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ-૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.