અંકલેશ્વર: વીજ કંપનીની બેદરકારી સામે ઉદ્યોગકારોમાં રોષ, વીજ ટ્રાન્સફોર્મરમાં આગની ઘટનામાં મોટી દુર્ઘટના બનતી સહેજ અટકી !

અંકલેશ્વર GIDCની નિરંજન ઇન્ડસ્ટ્રીઝ પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. આગનો બનાવ વીજ કંપનીના કોન્ટ્રકટરની બેદરકારીના કારણે બન્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

New Update

અંકલેશ્વર જીઆઇડીસીમાં બન્યો હતો બનાવ

વીજ ટ્રાન્સફોર્મરમાં લાગી હતી આગ

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

વીજ કંપનીની બેદરકારીના આક્ષેપ

ઉદ્યોગકારોમાં જોવા મળ્યો રોષ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની નિરંજન ઇન્ડસ્ટ્રીઝ પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. આગનો બનાવ વીજ કંપનીના કોન્ટ્રકટરની બેદરકારીના કારણે બન્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટના વીજ કંપનીના અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન બની હતી જેમાં વીજ કંપની અને ગુજરાત ગેસ કંપની વચ્ચે સંકલનના અભાવ અને અધિકારીઓની લાપરવાહીણે કારણે સર્જાઈ હોવાનું અંકલેશ્વરના ઉદ્યોગકારોએ આક્ષેપ કર્યો છે.અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયાએ રોષ સાથે આક્ષેપ કર્યો હતો કે વિકાસ કાર્યની ઉદ્યોગકારોએ મોટી કિમત ચૂકવી છે.અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન ૫૦ સ્થળોએ પાણીની પાઈપ લાઈન અને આઠ જગ્યાએ ગેસ લાઈન ક્ષતિગ્રસ્ત થઇ હોવાનો આક્ષેપ કરાયો છે.
બુધવારે લાગેલ આગમાં લાખોના નુકશાનનો સામનો કરનાર ઉદ્યોગકાર એન.કે.નાવડિયાએ આક્ષેપ કર્યા હતા કે સદનસીબે આગ પાર્કિંગ સુધી જ ફેલાય હતી જો આગ વધુ પ્રસરતે તો બ્લાસ્ટ પણ થવાની પણ સંભાવના હતી.આ મામલે તેઓ દ્વારા વીજ કંપનીના કોન્ટ્રકટર સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.