અંકલેશ્વર: જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા ઝઘડિયામાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

રવિવારના રોજ શ્રીમતી જયાબેન મોદી  હોસ્પિટલ અંકલેશ્વર અને અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aaa

ભરૂચના ઝઘડિયા તાલુકાની દીવાન ધનજીશા હાઈસ્કુલ ખાતે રવિવારના રોજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આસપાસના ગામો જેમકે ગુમાનદેવ, સરદારપુરા, નવાગામ, દઢાલ, રતનપુર, રાજપારડી અને અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં હાડકાના ડોક્ટર, જનરલ ફિઝીસિયન,જનરલ સર્જન, બાળકના ડોક્ટર, ચામડીના ડૉક્ટર, કાન-નાક-ગળા ના ડોક્ટર,પ્લાસ્ટિક સર્જન, દાતના ડોકટર, હ્રદયના ડોક્ટર, મગજના ડોકટર, કેન્સર રોગના ડોક્ટર હાજર રહી તમામ દર્દીઓની મફતમાં નિદાન, સારવાર કરી મફતમાં દવાઓ આપવામાં આવી હતી, તેમજ બ્લડ પ્રેશર, સુગર તપાસ કરી એક્સ રે, ECG પણ કેમ્પના સ્થાને જ કરવામાં આવ્યું હતું.

તેમજ જે દર્દીઓ નોંધાયેલ છે તેમને ઓપરેશન પણ મફતમાં કરવામાં આવશે. તમામ આવનાર દર્દીઓ માટે ફૂડ પેકેટ અને પાણી ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ શિબિરમાં ઝઘડિયાના ધારાસભ્ય  રિતેશ વસાવા, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિમ્મતભાઈ શેલડિયા અને અધ્યક્ષ અમુલખભાઈ  પટેલ, હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાણી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.