અંકલેશ્વર: કોસમડી ગામમાં આવેલ ફાર્મ હાઉસમાંથી દીપડો પાંજરે પુરાયો

કોસમડી ગામમાં પશુ પાલકે પોતાના ઘર પાસે બાંધેલ ભેંસના પાડિયાને દીપડાએ શિકાર બનાવી તેને ફાડી ખાધું હતું.જે ઘટના બાદ વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરા મુકવામાં આવ્યા હતા

New Update
  • અંકલેશ્વરના કોસમડી ગામનો બનાવ

  • ફાર્મ હાઉસમાંથી દીપડો પાંજરે પુરાયો

  • અગાઉ પાડીયાનું કર્યું હતું મારણ

  • વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવાયું હતું

  • ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

અંકલેશ્વરના કોસમડી ગામમાં આવેલ ફાર્મ હાઉસમાંથી કદાવર દીપડો પાંજરે પુરાતા પશુ પાલકો સહીત ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અંકલેશ્વર પંથકમાં હાલ શેરડી કટિંગની સીઝન ચાલી રહી છે ત્યારે દીપડા સહિતના વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ઘરની બહાર કે અડાળીમાં બાંધેલ પશુઓનું મારણ કરતા હોય છે.
તેવામાં થોડા દિવસ પહેલા કોસમડી ગામમાં પશુ પાલકે પોતાના ઘર પાસે બાંધેલ ભેંસના પાડિયાને શિકાર બનાવી તેને ફાડી ખાધું હતું.જે ઘટના બાદ વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરા મુકવામાં આવ્યા હતા તે દરમિયાન કોસમડી ગામમાં આવેલ ફાર્મ હાઉસ નજીક મુકેલ પાંજરામાં મારણ કરવા આવેલ કદાવર દીપડો પાંજરે પુરાયો હતો.વનવિભાગે દીપડાનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.કદાવર દિપડો પાંજરે પુરતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.