અંકલેશ્વર: GIDC વિસ્તારના વિવિધ પ્રશ્ને સ્થાનિકોની નોટીફાઇડ એરીયા ઓથોરીટીમાં રજુઆત !

સ્થાનિકોએ કરેલ રજૂઆત અનુસાર વિવિધ ઉદ્યોગ એકમો દ્વારા તેમના ઉદ્યોગોમાં આવતા સામાન ભરેલ વાહનો મુખ્ય માર્ગ પર જ પાર્ક કરી દેવામાં આવે છે જેના કારણે ટ્રાફિકને અડચણ પહોંચે છે

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ પ્રશ્નો

  • સ્થાનિકો દ્વારા કરવામાં આવી રજુઆત

  • નોટીફાઇડ એરીયા ઓથો.માં રજુઆત કરાય

  • જળ- વાયુ પ્રદુષણના આક્ષેપ

  • સમસ્યાના નિરાકરણની માંગ

અંકલેશ્વરના સ્થાનિકો દ્વારા જીઆઇડીસીના વિવિધ પ્રશ્નો અંગે નોટિફાઇડ એરીયા ઓથોરિટીમાં રજૂઆત કરવામાં આવી હતી અને પ્રશ્નોના નિરાકરણની માંગ કરાય હતી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ પડતર પ્રશ્નો અંગે આજ રોજ સ્થાનિકો દ્વારા નોટિફાઇડ એરીયા ઓથોરીટીમાં રજૂઆત કરવામાં આવી હતી.
સ્થાનિકોએ કરેલ રજૂઆત અનુસાર વિવિધ ઉદ્યોગ એકમો દ્વારા તેમના ઉદ્યોગોમાં આવતા સામાન ભરેલ વાહનો મુખ્ય માર્ગ પર જ પાર્ક કરી દેવામાં આવે છે જેના કારણે ટ્રાફિકને અડચણ પહોંચે છે. તો બીજી તરફ ઉદ્યોગો દ્વારા ગેરકાયદેસર રીતે ગેસ અને રસાયણ યુક્ત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે.
જેના કારણે હવા તેમજ જળ પ્રદૂષણ થાય છે. પ્રદુષણના પ્રમાણમાં વધારો થતાં અહીંના લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે ત્યારે આ બાબતે ઉદ્યોગો પર કડક કાર્યવાહીની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: દહેજ બાયપાસ રોડ પર ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધથી ટ્રાફિકજામની સમસ્યા હળવી બની

જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બની

New Update
  • ભરૂચના દહેજ બાયપાય રોડનું તંત્રનું જાહેરનામું

  • ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

  • જાહેરનામાના કારણે ટ્રાફિકજામની સમસ્યા હળવી બની

  • બહારથી આવતા વાહનચાલકો પરેશાન

  • કલાકોના કલાકો હાઇવે પર જ વિતાવવા પડે છે

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધના તંત્રના જાહેરનામા બાદ ટ્રાફિકજામની સમસ્યા આંશિક હળવી બની છે જોકે બહારથી આવતા ભારદારી વાહનોના ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરના દહેજ બાયપાસ રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેની અસર હવે માર્ગો પર દેખાઈ રહી છે. આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બની છે શ્રવણ ચોકડી નજીક બની રહેલ એલિવેટર બ્રિજની કામગીરીના કારણે ટ્રાફિકજામની સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં મોટા ભારદારી વાહનો સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા દરમ્યાન પસાર થઈ શકતા નથી. 

જાહેરનામાના કારણે દહેજ ઔદ્યોગિક વસાહતમાં નોકરી જતા સેંકડો વાહન ચાલકોને રાહત સાંપડી છે તો બીજી તરફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને દહેજ તરફથી આવતા ભારદારી વાહનચાલકોની હાલત કફોડી બની છે તેઓએ કલાકોના કલાકો એન્ટ્રી માટે રાહ જોવી પડી રહી છે. અન્ય પ્રદેશમાંથી આવતા વાહન ચાલકોને આ જાહેરનામનો ખ્યાલ ન હોવાના કારણે તેઓ ભરૂચ સુધી તો આવી જાય છે પરંતુ દહેજ બાયપાસ રોડ પરનો એન્ટ્રીના કારણે તેઓએ હાઇવે પર જ 10 થી 12 કલાક વિતાવવા પડે છે.

#Traffic jam #Bharuch News #heavy vehicles #Dahej Bypass Road #Bharuch Traffic Jam
Latest Stories