અંકલેશ્વર: NH 48 નજીક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, 5 ફાયર ટેન્ડરોએ મોડી રાતે આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ

  • નેશનલ હાઈવેને અડીને આવેલ ગોડાઉનમાં આગ

  • સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળી

  • વિકરાળ આગના પગલે અફરાતફરીનો માહોલ

  • ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.આગ આસપાસના ગોડાઉનમાં પણ ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની હતી.ફાયર ફાયટરો ભારે જહેમત બાદ મોડી રાતે આગ પર કાબુ મેળવ્યો હતો
ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો.અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું 
જેના પગલે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ અંગેની જાણ કરાતા જ અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ત્રણ જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.જો કે આગ આસપાસના ગોડાઉનમાં પણ ફેલાય હતી જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી.
નોટીફાઇડ એરિયા ઓથોરિટીના 5 ફાયર ટેન્ડરોએ મોડી રાતે આગ પર કાબુ મેળવ્યો હતો. આસપાસના ગોડાઉનના સંચાલકોએ ફાયર ફાયટરો સાથે માથાકૂટ કરતા પોલીસને મદદે બોલાવવાની ફરજ પડી હતી.
આ તરફ જે ગાડાઉનમાં આગ લાગી હતી એ ગોડાઉનના સંચાલક પાસે ફાયર એન.ઓ.સી.કે આગ ઓલવવાના એક પણ સાધન ન હોવાનું બહાર આવ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઇવે અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ગોડાઉનમાં રાસાયણિક કચરાનો સ્ટોર કરવામાં આવે છે ત્યારે આ મામલે હવે પોલીસ પણ તપાસ કરશે અને તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવશે
Read the Next Article

ભરૂચ: દહેજની રામદેવ કેમિકલ કંપનીમાં અકસ્માતે કામદારનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

કામદાર રામદેવ કેમિકલ કંપનીમાંથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં ભારે પવન ફૂંકાવાને કારણે નજીકમાં પડેલો રેન્કનો તેના પર પડતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી.

New Update
Ramdev chemical dahej
ભરૂચના દહેજમાં આવેલી રામદેવ કંપનીમાં કામ કરતો કામદાર બિપીન અજય મંડલ ગઇકાલે સાંજે કંપનીમાં કામ કર્યાં બાદ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં હાથપગ ધોઇને કંપનીમાંથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં ભારે પવન ફૂંકાવાને કારણે નજીકમાં પડેલો રેન્કનો તેના પર પડતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી.
Ramdev chemical
ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતા જ દહેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ તરફ પરિવારજનોએ યોગ્ય વળતરની માંગ કરી છે.