અંકલેશ્વર: GIDCની અવસર એન્ટરપ્રાઇઝમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

અંકલેશ્વરમાંથી ફરી એક વાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે સુરત અને ભરૂચ પોલીસે અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે

New Update

અંકલેશ્વરમાંથી ફરી ઝડપાયું ડ્રગ્સ

અવસર એન્ટરપ્રાઈઝમાંથી ડ્રગ્સ ઝડપાયું

કરોડો રૂપિયાનું ડ્રગ્સ હોવાનો અંદાજ

3 આરોપીની ધરપકડ

મોટો જથ્થો ચકાસણી માટે FSLમાં મોકલાયો

અંકલેશ્વરમાંથી ફરી એક વાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે સુરત અને ભરૂચ પોલીસે અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનો અનુમાન છે.અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાંથી પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ એ.ડી.ડ્રગ્સ કબ્જે કર્યું છે જ્યારે અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો ચકાસણી અર્થે FSLમાં મોકલાયો છે.આ મામલામાં

કુલ 3 આરોપીની પોલીસે  ધરપકડ છે.મામલામાં પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલની ધરપકડ કરી છે.અગાઉ અંકલેશ્વરની જ આવકાર ડ્રગ્સ કંપનીમાંથી રૂપિયા 5,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ દેશમાં ડ્રગ્સ ના ઉત્પાદનનું ગેરકાયદેસર હબ બની રહ્યું છે. એક વર્ષમાં પાનોલી દહેજ અંકલેશ્વર અને સાઈખામાંથી હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ હતું.
Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.