અંકલેશ્વર: S.T.બસ ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયુ આયોજન

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે તબક્કાવાર તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • અર્બન હેલ્થ સેન્ટર દ્વારા આયોજન કરાયુ

  • એસ.ટી.ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

  • ડેપોના કર્મચારીઓના આરોગ્યની કરાય તપાસ

  • વિના મૂલ્યે દવાઓનું કરાયુ વિતરણ

અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે તબક્કાવાર તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે જે અંતર્ગત અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એસટી બસના ડ્રાઇવર કંડકટર, મિકેનિકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી.આ દરમિયાન વિનામૂલ્ય દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં એસટી ડેપોના અધિકારીઓ તેમજ અર્બન હેલ્થ સેન્ટરના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.