અંકલેશ્વર:  ગણેશ આયોજકો અને વહીવટી તંત્ર વચ્ચે યોજાય બેઠક, વિવિધ પ્રશ્ને કરવામાં આવી ચર્ચા

અંકલેશ્વરમાં આગામી ગણેશ મહોત્સવના પર્વને ધ્યાને રાખીને વહીવટી તંત્ર, પોલીસ તેમજ ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ગણેશ આયોજકોની બેઠક યોજાઇ

  • વહીવટી તંત્ર સાથે બેઠકનું આયોજન

  • વિવિધ પ્રશ્ને કરવામાં આવી ચર્ચા

  • ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં આગામી ગણેશ મહોત્સવના પર્વને ધ્યાને રાખીને વહીવટી તંત્ર, પોલીસ તેમજ ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરમાં આગામી ગણેશ મહોત્સવને લઈને નાયબ કલેક્ટર કચેરી ખાતે વિશિષ્ટ બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ગણેશ યુવક મહોત્સવ મંડળના નિમંત્રણ પર યોજાયેલી આ બેઠકમાં મંડળોને મંજૂરી, આયોજનમાં સહકાર, રસ્તાઓની વ્યવસ્થા, મૂર્તિ સ્થાપન માટેની પરવાનગીઓ, વીજ પુરવઠા અંગે DGVCL સાથે સંબંધિત પ્રશ્નો વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.મંડળોના આયોજકોએ નાયબ કલેક્ટર સમક્ષ જાહેર વ્યવસ્થાની તંગી, વીજળીના કટોકટીના પ્રશ્નો, રોડના ખાડા, અને ટ્રાફિકના પ્રશ્નો રજૂ કર્યા હતા તથા તેમના યોગ્ય સમાધાનની માંગણી રાખી હતી.આ બેઠકમાં નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મામલતદાર  કરણસિંહ રાજપૂત, જિલ્લા ભાજપ પ્રમુખ  પ્રકાશ મોદી,  ચીફ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત વિવિધ શાખાઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
Read the Next Article

ભરૂચ : પોલીસ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું મહોત્સવનો પ્રારંભ, IG સંદીપ સિંહે કર્યું પૂજન અર્ચન

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના

New Update

નવ નવેલી રાતનો આજથી પ્રારંભ

ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય આયોજન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન

પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો

પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના હસ્તે પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો
ભરૂચ શહેરમાં જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજન અર્ચન કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ખેલૈયાઓ સુરક્ષા ને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક તથા આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ ભરૂચ પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.