અંકલેશ્વર: ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા મેગા નવરાત્રી મહોત્સવ યોજાશે

અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાનાર ગરબા મહોત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ભૂમીપૂજન કરવામાં આવ્યું હતું

New Update

અંકલેશ્વરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન

ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાશે ગરબા મહોત્સવ

આયોજકો દ્વારા કરવામાં આવ્યું ભૂમિપૂજન

ગરબા મહોત્સવની તૈયારીઓ શરૂ કરાઇ

ગત વર્ષે પુર પીડિતોની મદદ માટે ફળવાયું હતું ફંડ

અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાનાર ગરબા મહોત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ભૂમીપૂજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા ગત વર્ષે નર્મદા નદીમાં આવેલા ભયાવહ પૂરને લઇ ગરબા આયોજન રદ કરી તેના ફંડમાંથી પૂર પીડીતો ને મદદ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પુનઃ એકવાર શહેરમાં  જ હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા મંડપ મુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુધીર ગુપ્તા,  ગણેશ અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્ર પટેલ, ધર્મેશ ચાવડા, સંદીપ પટેલ, નિલેશ પટેલ, જીગ્નેશ અંડારીયા ભાવેશ વામજા સહિત ગુંજ સોશ્યલ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને શુભ મુહૂર્તમાં વિધિ વિધાન સાથે પૂજા સંપન્ન કરી હતી અને ગરબા મહોત્સવની તૈયારીઓનો પ્રારંભ કર્યો હતો
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર, થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • વધુ 4 આરોપીઓની ધરપકડ

  • આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા

  • કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા 

  • થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
ભરૂચમાં બહાર આવેલ ચમચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી.ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટીયાની ધરપકડ કરી હતી. જલારામ એન્ટરપ્રાઇઝના પીયુષ ઉકાણી,મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ બે એજન્સીઓના  કામ કરનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રૂપિયા અન્ય કોના કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસ છે તપાસનો ધમમાટ  શરૂ કર્યો છે.