અંકલેશ્વર: જવાહરબાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમા પર કીચડ ફેંકાયું, શહેર ભાજપ દ્વારા પોલીસને અપાય અરજી

અંકલેશ્વર શહેરમાં આવેલ જવાહરબાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમા પર કોઈ ટીકળખોર દ્વારા કીચડ ફેકવામાં આવ્યું હતું ત્યારે આ મામલે શહેર ભાજપ દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વર શહેરનો બનાવ

  • જવાહર બાગમાં મુકાઈ છે મહાનુભાવોની પ્રતિમા

  • કોઈ ટીકળખોરનું કારસ્તાન

  • પ્રતિમા પર કીચડ ફેંકવામાં આવ્યું

  • શહેર ભાજપ દ્વારા પોલીસને અપાય અરજી

અંકલેશ્વર શહેરમાં આવેલ જવાહરબાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમા પર કોઈ ટીકળખોર દ્વારા કીચડ ફેકવામાં આવ્યું હતું ત્યારે આ મામલે શહેર ભાજપ દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે.
અંકલેશ્વરના જવાહરબાગમાં અટલ બિહારી વાજપેઇ સહિતના નેતાઓની પ્રતિમા મુકવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી કેટલાક ટીકળબાજો આ પ્રતિમા પર કીચડ નાખી અથવા તો પાનની પીચકારી મારી તેને મલિન કરી રહયાં છે.આ ઘટનાની જાણ ભાજપના આગેવાનોને થતાં તેમણે સ્થળ પર આવી પ્રતિમાઓની સફાઇ કરી હતી. માત્ર 10 દિવસમાં બીજીવારના આ કૃત્યને લઇ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. બાગમાં 24 કલાક ચોકીદાર હાજર રહેતાં હોવા છતાં આ ઘટના કઇ રીતે બની તે તપાસ નો વિષય છે. નગરપાલિકાએ પણ ઘટનાની તપાસ આદરી છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.