અંકલેશ્વર વરસાદી પાણીથી પ્રભાવિત વિસ્તારોમાં સાફસફાઈ સહિત દવાનો છંટકાવ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદે વિરામ લેતા પાલિકા દ્વારા સફાળા જાગી યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જોકેવરસાદે વિરામ લીધા બાદ વરસાદી પાણી ઉતરી ગયા હતા. પરંતુ  ઠેર ઠેર કાદવ-કિચડ સહિત ગંદકીના થર બાઝી ગયા હતા. અંકલેશ્વર નગરપાલિકા તંત્ર સફાળું જાગી અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફ-સફાઈ અને દવાના છંટકાવની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. અંકલેશ્વર શહેરને  સ્વચ્છ અને રોગમુક્ત રાખવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકેનગરના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ પાલિકા તંત્ર દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે.

Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.