અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો કરાયો પ્રારંભ, વરસાદી કાંસની સાફ સફાઈ શરૂ

ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય અને સરળતા પૂર્વકનિકાલ થાય તે માટે પ્રિ મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી. પાલિકા દ્વારા બે વિભાગ માંપ્રિ મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી

New Update
  • અંકલેશ્વરમાં તંત્રની કામગીરી

  • નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ

  • વરસાદી કાંસની સાફ સફાઈ શરૂ કરાઇ

  • પાણીના નિકાલની વ્યવસ્થા માટે આયોજન

  • જર્જરીત ઇમારતોનો સર્વે પણ શરૂ કરાયો

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રિમોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં વરસાદી કાંસોની સાફ-સફાઈ સાથે જર્જરિત મકાનો નો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય અને સરળતા પૂર્વકનિકાલ થાય તે માટે પ્રિ મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી. પાલિકા દ્વારા બે વિભાગ માંપ્રિ મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે.જેમાં શહેરની આંતરિક ગટર લાઈન અને ચેમ્બરને મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે. 
શહેરમાં વરસાદી પાણીના નિકાલની મુખ્ય કાંસ અનસ મોટર્સ પાસેની, સ્ટેશન વિસ્તારની કાંસ તેમજ તેની સામેના વિસ્તારમાં કંકુ તળાવ વિસ્તારની કાંસ, સંજય નગર વિસ્તારની નાની કાંસ, ઉપરાંત ટીચર્સ સોસાયટી અડીને પસાર થતી અને હસ્તી તળાવ ગાયત્રી મંદિર થઇ આંબાવાડી વિસ્તારની મુખ્ય કાંસની સફાઇ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા શહેરમાં આવેલા જર્જરીત મકાનોનો પણ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વે પૂર્ણ થયા બાદ જર્જરીત  મિલકતો છે તેને ઉતારી લેવા માટે નોટિસ પાઠવવામાં આવશે.આમ નગરસેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો અત્યારથી જ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ, સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ પહોંચી ન શક્યું

સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી..

New Update
  • અંકલેશ્વરના ગડખોલ વિસ્તારનો બનાવ

  • સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ

  • શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી

  • શાળા છૂટયા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી

  • સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ ન પહોંચી શક્યું

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી.
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ શાળામાં આજરોજ બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ધુમાડાના ગોટેગોટા નજરે પડતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે શાળા છૂટ્યા બાદ આગ લાગતા કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જોકે સાંકડી ગલીઓના કારણે ફાયર  વિભાગ ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું. તો આ તરફ શાળામાં રહેલ ફાયર ઇન્સ્ટિગયૂટર સહિતના સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.આગમાં શાળામાં રહેલ ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું.સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શાળામાં 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે આગ લાગવાના બનાવમાં મોટી દુર્ઘટના ટળી કહી શકાય.