અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો કરાયો પ્રારંભ, વરસાદી કાંસની સાફ સફાઈ શરૂ

ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય અને સરળતા પૂર્વકનિકાલ થાય તે માટે પ્રિ મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી. પાલિકા દ્વારા બે વિભાગ માંપ્રિ મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી

New Update
  • અંકલેશ્વરમાં તંત્રની કામગીરી

  • નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ

  • વરસાદી કાંસની સાફ સફાઈ શરૂ કરાઇ

  • પાણીના નિકાલની વ્યવસ્થા માટે આયોજન

  • જર્જરીત ઇમારતોનો સર્વે પણ શરૂ કરાયો

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રિમોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં વરસાદી કાંસોની સાફ-સફાઈ સાથે જર્જરિત મકાનો નો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય અને સરળતા પૂર્વકનિકાલ થાય તે માટે પ્રિ મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી. પાલિકા દ્વારા બે વિભાગ માંપ્રિ મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે.જેમાં શહેરની આંતરિક ગટર લાઈન અને ચેમ્બરને મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે. 
શહેરમાં વરસાદી પાણીના નિકાલની મુખ્ય કાંસ અનસ મોટર્સ પાસેની, સ્ટેશન વિસ્તારની કાંસ તેમજ તેની સામેના વિસ્તારમાં કંકુ તળાવ વિસ્તારની કાંસ, સંજય નગર વિસ્તારની નાની કાંસ, ઉપરાંત ટીચર્સ સોસાયટી અડીને પસાર થતી અને હસ્તી તળાવ ગાયત્રી મંદિર થઇ આંબાવાડી વિસ્તારની મુખ્ય કાંસની સફાઇ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા શહેરમાં આવેલા જર્જરીત મકાનોનો પણ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વે પૂર્ણ થયા બાદ જર્જરીત  મિલકતો છે તેને ઉતારી લેવા માટે નોટિસ પાઠવવામાં આવશે.આમ નગરસેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો અત્યારથી જ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.