અંકલેશ્વર: રામનવમી પર્વને અનુલક્ષીને એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

અંકલેશ્વરમાં આગામી તારીખ 6 એપ્રિલને રામનવમીના રોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • એ ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન

  • શાંતિ સમિતિની બેઠકનું આયોજન

  • રામનવમીના પર્વને અનુલક્ષી બેઠક યોજાઇ

  • શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા અનુરોધ

Advertisment
અંકલેશ્વરમાં આગામી તારીખ 6 એપ્રિલને રામનવમીના રોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ છઠ્ઠી એપ્રિલને રામનવમીના રોજ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં રામ જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી રામ રામ સેના સહિતના સંગઠનો દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડી.વાય.એસ.પી. ડો.કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર પી.જી. ચાવડા, અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, હિન્દુ સંગઠનના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસે આગેવાનોને અનુરોધ કર્યો હતો. શોભાયાત્રા દરમિયાન ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં રામનવમીના પર્વની ઉજવણી કરાય તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment