અંકલેશ્વર: બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રૂ.3 લાખના લોખંડના સળીયા સગેવગે કરનાર 5 આરોપીઓની પોલીસે કરી ધરપકડ !

ટ્રકમાંથી ટ્રક ચાલકોએ રૂ.3 લાખની કિંમતના 4767 કિલો સળીયા સગેવગે કરી દીધા હતા અને તેના વજનના પથ્થર અને માટીના કોથળા ટુલ બોક્સમાં મૂકી વિશ્વાસઘાત કર્યો હતો. 

New Update
  • અંકલેશ્વરના આલુંજ ગામે આવેલી છે સાઇટ

  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સળીયા સગેવગે કરાયા હતા

  • રૂ.3 લાખની કિંમતના સલીયા સગેવગે કરાયા હતા

  • 5 ટ્રકચાલકોની પોલીસે કરી ધરપકડ

  • સળીયાના વજનના પથ્થર ટુલ બોક્સમાં મુક્યા હતા

Advertisment
અંકલેશ્વર તાલુકાના આલુજ ગામે આવેલ બુલેટ ટ્રેન સાઈટ પર રૂપિયા 3 લાખની કિંમતના 4767 કિલો લોખંડના સળિયા સગેવગે કરનાર પાંચ 5 ચાલકોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકાના આલુજ ગામ ખાતે આવેલ એલ.એન.ટી કંપની ની બુલેટ ટ્રેન સાઇટ પર 5 જેટલી ટ્રકના ચાલકો દ્વારા મહારાષ્ટ્ર રાયગઢથી લોખંડના સળિયા ભરી અંકલેશ્વર આલુજ સાઈટ પર આવ્યા હતા. જે પૈકી 5 ટ્રકમાંથી ટ્રક ચાલકોએ રૂ.3 લાખની કિંમતના 4767 કિલો સળીયા સગેવગે કરી દીધા હતા અને તેના વજનના પથ્થર અને માટીના કોથળા ટુલ બોક્સમાં મૂકી વિશ્વાસઘાત કર્યો હતો. 
આ મામલે સી.જે ડાર્સલ લોજીસ્ટીક લિમિટેડ ટ્રાન્સપોર્ટના સિનિયર મેનેજર પવન કુમાર શર્મા દ્વારા પાનોલી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જે અંગે પાનોલી પોલીસ દ્વારા તપાસ શરુ કરી ગણતરીના સમયમાં ટ્રક ચાલક રમેશ રાજેન્દ્ર ચૌધરી. પ્રશાંત કુમાર સિંગ વિજયબહાદુરસિંગ, હરિશંકર નારાયણ ઉપાધ્યાય, નિલેશ પાલ ગુરુદીનપાલ અને સતીષ ચંદ કામતા પ્રસાદ યાદવ ધરપકડ કરી હતી અને સળિયા ક્યાં સગેવગે કર્યા હતા તે અંગે પૂછપરછ શરુ કરવામાં આવી છે.
Advertisment
Latest Stories