અંકલેશ્વર: પાનોલીની કામધેનું ન્યુટ્રીયનટ્સ કંપનીમાં ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરનાર 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કામધેનું ન્યુટ્રીયનટ્સ કંપનીમાં તસ્કરો ત્રાટકી મોટરો સહિતનો સામાન મળી કુલ ૩૮ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

New Update
1

અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કામધેનું ન્યુટ્રીયનટ્સ કંપનીમાં તસ્કરો ત્રાટકી મોટરો સહિતનો સામાન મળી કુલ ૩૮ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જો કે તસ્કરોને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા

મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના સંજાલી ગામના હોળી ચકલામાં રહેતા જતીનસિંગ માખનલાલ સિંગ પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કામધેનું ન્યુટ્રીયનટ્સ કંપનીમાં સુપર વાઈઝર તરીકે નોકરી કરે છે.જેઓની કંપનીને ગત તારીખ-૬ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ તસ્કરો નિશાન બનાવી હતી તસ્કરો કંપનીમાં પ્રવેશ કરી અંદર ઓફીસ સામે મુકેલ ચાર મોટરો અને અન્ય સામાન મળી કુલ ૩૮ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પોલીસે આ મામલામાં  દિપકકુમાર ઉર્ફે વિક્કી પંકજકુમારસિંગ અને વિરૂ ઉર્ફે ભૈરવ લક્ષ્મણસિંગ રાજપુતની ધરપકડ કરી તેઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે  નુરઆલમ બદરૂદ્દીન શોકતઅલી મનીહાર અને રાજેશ ઉર્ફે ગુજ્જુ નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે
Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
Latest Stories