અંકલેશ્વર: રેલવે ટ્રેક નજીક યુવાનને આંતરી ચપ્પુની અણીએ લૂંટ ચલાવનાર 3 લૂંટારૂઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરના ગડખોલથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયેલા બે યુવાનો પાસેથી ચપ્પુની મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વર- રાજપીપળા રેલવે લાઇન પર બન્યો હતો બનાવ

યુવાનને આંતરી ચલાવાય હતી લૂંટ

ચપ્પુની અણીએ રોકડ તેમજ મોબાઈલની લૂંટ થઈ હતી

ગણતરીના સમયમાં આરોપી ઝડપાયા

જીઆઇડીસી પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વરના ગડખોલથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયેલા બે યુવાનો પાસેથી ચપ્પુની મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના ગડખોલ ગામની રચના નગરમાં રહેતા વિપુલ  સાટીયા બે દિવસ પૂર્વે સાંજે  અંકલેશ્વરથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયા હતા. આ દરમિયાન અચાનક કેટલાક ઈસમો મોઢા પર રૂમાલ બાંધી આવ્યા હતા અને યુવાન પાસે ચપ્પુની અણીએ મોબાઈલ તેમજ રોકડ રકમ મળી રૂપિયા 25 હજારથી વધુના માલમત્તાની લૂંટ ચલાવી હતી.આ દરમ્યાન અન્ય એક યુવાન પણ અહીં આવી પહોંચ્યો હતો અને તેની સાથે પણ આ જ લૂંટારુઓએ લૂંટ ચલાવી હોવાનું કહેતા ફરિયાદી વિપુલ સાટીયાએ લૂંટારુઓનો પ્રતિકાર કર્યો હતો અને એક લૂંટારૂને પકડી પાડ્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે ગણતરીના સમયમાં જ પોલીસે 3 લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલામાં પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ શાંતિ નગરમાં રહેતા સાદાબ ખાન,ઇમરાન સૈયદ અને ફિરોઝ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.