અંકલેશ્વર: પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાય, હેલમેટ નહીં પહેરનાર ટુ વ્હીલર ચાલકો દંડાયા

અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં હેલમેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

New Update
  • અંકલેશ્વરમાં પોલીસની ટ્રાફિક ડ્રાઇવ

  • પ્રતિન ચોકડી વિસ્તારમાં ડ્રાઇવ હાથ ધરાય

  • હેલમેટ નહીં પહેરનાર ટુ વ્હીલર ચાલકો દંડાયા

  • રાજ્યના પોલીસ વડાના આદેશના પગલે કામગીરી

  • આવનારા દિવસોમાં પણ ડ્રાઇવ ચાલુ રહેશે

Advertisment
અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં હેલમેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલમેટ નહીં પહેરનાર ટુ વ્હીલ ચાલકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી.પોલીસની કામગીરીના કારણે ટુવહીલ ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે જેના પગલે ગુજરાત હાઇકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસવડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમરકસી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment