અંકલેશ્વર : ટ્રકમાં ગેરકાયદેસર રીતે લઇ જવાતા 200 ઘેટાં-બકરા પોલીસે મુક્ત કરાવ્યા, નેશનલ હાઇવે પર વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું

અંકલેશ્વરના જાગૃત નાગરિક દિનેશભાઇને માહિતી મળી હતી કે ભરૂચ ટોલ નાકા પાસેથી પશુઓ ભરેલ ટ્રક અંકલેશ્વર તરફ આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે જાગૃત નાગરિક

New Update
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેનો બનાવ
પશુઓ ભરેલ ટ્રક પોલીસે ઝડપી પાડી
ટ્રકમાંથી 200 ઘેટા-બકરા પોલીસે મુક્ત કરાવ્યા
ગેરકાયદેસર રીતે પશુઓની કરવામાં આવતી હતી હેરાફેરી
4 લોકોની પોલીસે કરી અટકાયત
અંકલેશ્વરમાં જાગૃત નાગરિક અને પોલીસે પશુ ભરેલ ટ્રક પકડી પાડી ૨૦૦થી વધુ ઘેટા અને બકરા મુક્ત કરાવ્યા હતા 
અંકલેશ્વરના જાગૃત નાગરિક દિનેશભાઇને માહિતી મળી હતી કે ભરૂચ ટોલ નાકા પાસેથી પશુઓ ભરેલ ટ્રક અંકલેશ્વર તરફ આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે જાગૃત નાગરિક અને બી પોલીસે રાજપીપળા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને બાતમી વાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ૨૩૯ જેટલા ઘેંટા અને બકરા મળી આવ્યા હતા.આ પશુઓ પૈકી ૨થી ત્રણ પશુનો મોત નીપજ્યા હતા.આ અંગે પોલીસે ટ્રક ચાલક પાસે પશુઓની હેરફેર અંગેના આધાર પુરાવા માંગ્યા હતા જો કે તે મળી આવ્યા ન હતા.પોલીસે તમામ પશુઓ મુક્ત કરાવી ટ્રક ચાલક સહીત ચાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.