અંકલેશ્વર : ટ્રકમાં ગેરકાયદેસર રીતે લઇ જવાતા 200 ઘેટાં-બકરા પોલીસે મુક્ત કરાવ્યા, નેશનલ હાઇવે પર વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું

અંકલેશ્વરના જાગૃત નાગરિક દિનેશભાઇને માહિતી મળી હતી કે ભરૂચ ટોલ નાકા પાસેથી પશુઓ ભરેલ ટ્રક અંકલેશ્વર તરફ આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે જાગૃત નાગરિક

New Update
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેનો બનાવ
પશુઓ ભરેલ ટ્રક પોલીસે ઝડપી પાડી
ટ્રકમાંથી 200 ઘેટા-બકરા પોલીસે મુક્ત કરાવ્યા
ગેરકાયદેસર રીતે પશુઓની કરવામાં આવતી હતી હેરાફેરી
4 લોકોની પોલીસે કરી અટકાયત
અંકલેશ્વરમાં જાગૃત નાગરિક અને પોલીસે પશુ ભરેલ ટ્રક પકડી પાડી ૨૦૦થી વધુ ઘેટા અને બકરા મુક્ત કરાવ્યા હતા 
અંકલેશ્વરના જાગૃત નાગરિક દિનેશભાઇને માહિતી મળી હતી કે ભરૂચ ટોલ નાકા પાસેથી પશુઓ ભરેલ ટ્રક અંકલેશ્વર તરફ આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે જાગૃત નાગરિક અને બી પોલીસે રાજપીપળા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને બાતમી વાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ૨૩૯ જેટલા ઘેંટા અને બકરા મળી આવ્યા હતા.આ પશુઓ પૈકી ૨થી ત્રણ પશુનો મોત નીપજ્યા હતા.આ અંગે પોલીસે ટ્રક ચાલક પાસે પશુઓની હેરફેર અંગેના આધાર પુરાવા માંગ્યા હતા જો કે તે મળી આવ્યા ન હતા.પોલીસે તમામ પશુઓ મુક્ત કરાવી ટ્રક ચાલક સહીત ચાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: મલયાલી વેલફેર એસો.દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, રક્તદાતાઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • મલયાલી વેલફેર એસો.દ્વારા આયોજન

  • રક્તદાન શિબિર યોજાય

  • રજતદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

  • યુનિટી બ્લડ બેંકનો સહયોગ સાંપડ્યો

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
ભરૂચ મલયાલી વેલ્ફેર એસોસિએશન તથા યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે જી.એન.એફ.સી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરનો ઉદ્દેશ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા દર્દીઓને કટોકટીના સમયે સમયસર રક્ત ઉપલબ્ધ કરાવી શકાય તેવો હતો.શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.આ શિબિરની સફળતામાં મલયાલી વેલ્ફેર એસોસિએશનના સભ્યો તથા યુનિટી બ્લડ સેન્ટરના તબીબી સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમ અંતે સંસ્થાઓ તરફથી રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમનો વ્યક્ત આવ્યો હતો.