અંકલેશ્વર: હથિયારો સાથે પ્રદર્શન કરતા ઇસમોને દબોચી લેતી પોલીસ, વિડીયો થયો હતો વાયરલ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં હથિયારો લઈને પ્રદર્શન કરતા આરોપીઓને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

New Update

અંકલેશ્વરમાં હથિયારો સાથે યુવકોનું પ્રદર્શન, હથિયાર સાથેનો વિડીયો થયો સોશિયલ મિડીયામાં વાયરલ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સોશિયલમિડીયામાંવાયરલ થયેલાવિડીયોમાંહથિયારો લઈને પ્રદર્શન કરતા આરોપીઓને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંસોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો.જેમાં કેટલાક ઈસમો તલવારલાકડીધારીયા જેવા હથિયારો લઈને પ્રદર્શન કરી રહ્યા હોય તેવું નજરે પડ્યું હતું.આ વિડીયો બાબતે તપાસ કરતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં આવેલ આત્મીય સોસાયટી સારંગપુરનો હોવાનું જાણવા મળ્યું હતું

જેથી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે તપાસ કરીને વિડીયોમાં દેખાતા ઈસમોને ઝડપી લઇને વાયરલ વિડીયો બાબતે પુછપરછ કરી હતી.પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યુ હતું કે ગામમાં ચોર આવતા હોવાની અફવા ફેલાયેલ હોય અમારી સોસાયટીમાં કોઈ ચોર ઘૂસી ન જાય તેના માટે અમે હથિયારો સાથે ચોકી કરતા હતા અને આ વિડીયો બનાવ્યો હતો.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસેધવલ બચુભાઈ મુનીયા,રીતેશ ચંદ્રદેવ મહંતો,અંકિત સંતોષકુમાર સીંગ,આશિષ રામકૃષ્ણ પાટીલ, રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ મહિડા,અને આદિત્ય વિવેકાનંદ કામેથ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

અંકલેશ્વર : રામકુંડ તીર્થ અને કબીર આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી,ભક્તોએ મેળવ્યા ગરુજીના આશીર્વાદ

અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામ , કબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ

New Update
  • અંકલેશ્વર ગુરુપૂર્ણિમાએ ભક્તિમય રંગમાં રંગાયું

  • ગુરુપૂર્ણિમાએ છલાક્યો ભક્તોનો ભક્તિરસ 

  • રામકુંડ તીર્થ,કબીર આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

  • ગુરુદેવના આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ

  • ગુરુવંદના અને આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.જ્યારે શહેરના કબીર આશ્રમમાં પણ ગુરુ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.

અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામકબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી હતી.ગુરુના આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુ વંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા.,અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.

તો બીજી તરફ પંચાટી બજારમાં આવેલ  કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે  ગુરુ ચરણ દાસજીની ગુરુ વંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા.અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કબીર આશ્રમમાં ભક્તિરસ છલકાયો હતો.