અંકલેશ્વર: હથિયારો સાથે પ્રદર્શન કરતા ઇસમોને દબોચી લેતી પોલીસ, વિડીયો થયો હતો વાયરલ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં હથિયારો લઈને પ્રદર્શન કરતા આરોપીઓને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

New Update

અંકલેશ્વરમાં હથિયારો સાથે યુવકોનું પ્રદર્શન,  હથિયાર સાથેનો વિડીયો થયો સોશિયલ મિડીયામાં વાયરલ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં હથિયારો લઈને પ્રદર્શન કરતા આરોપીઓને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો.જેમાં કેટલાક ઈસમો તલવારલાકડીધારીયા જેવા હથિયારો લઈને પ્રદર્શન કરી રહ્યા હોય તેવું નજરે પડ્યું હતું.આ વિડીયો બાબતે તપાસ કરતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં આવેલ આત્મીય સોસાયટી સારંગપુરનો હોવાનું જાણવા મળ્યું હતું

જેથી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે તપાસ કરીને વિડીયોમાં દેખાતા ઈસમોને ઝડપી લઇને વાયરલ વિડીયો બાબતે પુછપરછ કરી હતી.પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યુ હતું કે ગામમાં ચોર આવતા હોવાની અફવા ફેલાયેલ હોય અમારી સોસાયટીમાં કોઈ ચોર ઘૂસી ન જાય તેના માટે અમે હથિયારો સાથે ચોકી કરતા હતા અને આ વિડીયો બનાવ્યો હતો.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ધવલ બચુભાઈ મુનીયા,રીતેશ ચંદ્રદેવ મહંતો,અંકિત સંતોષકુમાર સીંગ,આશિષ રામકૃષ્ણ પાટીલ, રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ મહિડા,અને આદિત્ય વિવેકાનંદ કામેથ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.