અંકલેશ્વર: સનાતન સ્કૂલ નજીક છઠપૂજાની ઉજવણી માટે તૈયારીઓ શરૂ, ઉત્તરભારતીય પરિવારો દ્વારા કરાશે ઉજવણી

અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય પરિવારો છઠ પૂજાની ઉજવણી કરતા હોય છે ત્યારે સનાતન સ્કૂલ નજીક નહેર પાસે ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

New Update
  • અંકલેશ્વરમાં છઠપૂજાની ઉજવણીનું આયોજન

  • ઉત્તરભારતીય પરિવારો દ્વારા કરાશે ઉજવણી

  • ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરાય

  • સનાતન સ્કૂલ નજીક કુંડ બનાવાયા

  • ભગવાન સૂર્યનારાયણને અપાશે અર્ઘય

અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય પરિવારો છઠ પૂજાની ઉજવણી કરતા હોય છે ત્યારે સનાતન સ્કૂલ નજીક નહેર પાસે ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

ઔધોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલાં અંકલેશ્વરમાં જિલ્લામાં દેશના જુદા-જુદા પ્રાંતથી આવેલાં હજારો લોકો સ્થાયી થયા છે. રોજગાર માટે અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગેચંગે ઉજવણી કરતાં હોવાથી અંકલેશ્વરમાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે.અંકલેશ્વરમાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં કારતક સુદ છઠ્ઠના રોજ છઠ્ઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જીઆઇડીસીમાં આવેલ સનાતન સ્કૂલ નજીકની નહેર પાસે છઠપૂજાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ માટે કુંડનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ અન્ય તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

Latest Stories