અંકલેશ્વર : ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ,27 પંચાયતીરાજની યોજાશે ચૂંટણી

અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.

New Update
  • ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ

  • મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્રો ભરાયા

  • તાલુકા પંચાયતમાં પણ નોંધાઈ ઉમેદવારી

  • 27 ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી

  • ઉમેદવારોએ  જીતનો કર્યો છે દાવો

અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે,જ્યારે 25 જૂનના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે,ત્યારે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતીરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો.

અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,જે પૈકી 12 ગ્રામ પંચાયતો સંવેદનશીલ છે.આ ચૂંટણીમાં 29865 પુરુષ અને 28535 મહિલા મતદારો મળીને કુલ 58400 મતદારો નોંધાયા છે,અને ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તેવા પ્રયત્નો ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવનાર બચુ પટેલે પોતાની પેનલના 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી,અને ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો હતો.

જ્યારે બીજી તરફ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કોસમડી અને દઢાલ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા.જેમાં કોસમડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પદ્મા વસાવાએ પોતાની પેનલના 16 સભ્ય ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી હતી.

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગ્રામ પંચાયતની પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા,તાલુકા પંચાયત ખાતે સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર રફીક નાનબાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું.અને પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો.

આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે પેટાચૂંટણી માટે સરપંચની બાકી રહેલી એક સીટ પર મુકેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તેમજ જીતાલી ગ્રામ પંચાયતમાં વર્તમાન સરપંચ અરવીંદ દેવાભાઈ વસાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો દાવો કર્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં માનવ મંદિર નજીક 2 વૃક્ષ ધરાશાયી, માર્ગ પર વાહનવ્યવહાર થયો પ્રભાવિત

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધારાશયી થઈ ગયા હતા

New Update
Screenshot_2025-06-24-14-52-29-42_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધારાશયી થઈ ગયા હતા

Screenshot_2025-06-24-14-52-45-27_92460851df6f172a4592fca41cc2d2e6

જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાય થતા વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ગયો હતો. આ અંગેની જાણ કરવામાં આવતા જ તંત્ર દ્વારા માર્ગ પરથી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.વૃક્ષ ધરાશાયી થતા નજીકમાં પાર્ક કરેલ કાર અને ટેમ્પાને સામાન્ય નુકશાન પહોંચ્યું હતું.