અંકલેશ્વર:રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ દ્વારા સિલાઈ મશીનના વિતરણ કરાયું

અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો

New Update

અંકલેશ્વરમાં કરાયુ આયોજન

રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા યોજાયો કાર્યક્રમ

બહેનોને સિલાઈ મશીનનું કરાયુ વિતરણ

તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર અપાયા

આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો

અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેક્કન ફાઇન કેમિકલ્સ કંપનીના સહયોગથી સીવણ તથા બ્યુટી પાર્લર તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે તે પૈકી બોઇદ્રા, સજોદ નવા કાંસીયા અને અંદાડાના સિવણ વર્ગના તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ તથા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે રામકૃષ્ણ આશ્રમ ભુજના સ્વામી સુખાનંદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓના હસ્તે તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રોનું વિતરણ તો જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી ડો. હરેશ શાહ તેમજ ટ્રસ્ટના  સભ્યો અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.