અંકલેશ્વર:રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ દ્વારા સિલાઈ મશીનના વિતરણ કરાયું

અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો

New Update

અંકલેશ્વરમાં કરાયુ આયોજન

રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા યોજાયો કાર્યક્રમ

બહેનોને સિલાઈ મશીનનું કરાયુ વિતરણ

તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર અપાયા

આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો

અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેક્કન ફાઇન કેમિકલ્સ કંપનીના સહયોગથી સીવણ તથા બ્યુટી પાર્લર તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે તે પૈકી બોઇદ્રા, સજોદ નવા કાંસીયા અને અંદાડાના સિવણ વર્ગના તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ તથા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે રામકૃષ્ણ આશ્રમ ભુજના સ્વામી સુખાનંદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓના હસ્તે તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રોનું વિતરણ તો જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી ડો. હરેશ શાહ તેમજ ટ્રસ્ટના  સભ્યો અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: કોસમડીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે શિવ પાર્થિવ પૂજનનું આયોજન

અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો

New Update
  • અંકલેશ્વરના કોસમડીમાં યોજાયો કાર્યક્રમ

  • સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો

  • શિવ પાર્થિવ પૂજનનું કરાયુ આયોજન

  • શ્રાવણ માસમાં કરવામાં આવે છે પૂજા

  • ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
છેલ્લા 7 વર્ષથી અંકલેશ્વરના કોસમડી ગામના  સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજાનનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજરોજ આચાર્ય શિવરામ પાંડેયની અધ્યક્ષતામાં શિવ પાર્થિવ પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં 61 જોડા જોડાયા હતા અને શાસ્ત્રોત વિધિ અનુસાર પૂજન કરાવવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.આ કાર્યક્રમમાં અશોક મહતો,સોનું મૌર્યા અને વિશ્વજીત પાલ સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.