અંકલેશ્વર: ઉમરવાડાના બુરહાની ગ્રાઉન્ડ પર આયોજિત BPLની ફાયનલ મેચમાં બબાલ,વિડીયો થયા વાયરલ

ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL સિઝન-4ની ફાઈનલ મેચ ઉમરવાડા ગામના બુરહાની ગ્રાઉન્ડ ખાતે યોજાય હતી જેમાં રન આઉટ આપવા બાબતે બબાલ થતા મેચ રોકવાની ફરજ પડી હતી

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું હતું આયોજન

  • બુરહાની ગ્રાઉન્ડ પર BPLની ફાયનલ મેચ યોજાય

  • મેચ દરમ્યાન રન આઉટ બાબતે વિવાદ

  • વિવાદ બાદ ખુરશી ઉછળી

  • આગેવાનોએ મામલો થાળે પાડયો

Advertisment
ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL સિઝન-4ની ફાઈનલ મેચ ઉમરવાડા ગામના બુરહાની ગ્રાઉન્ડ ખાતે યોજાય હતી જેમાં રન આઉટ આપવા બાબતે બબાલ થતા મેચ રોકવાની ફરજ પડી હતી
અંકલેશ્વરના ઉમરવાડા ગામના બુરહાની ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL સિઝન-4નું આયોજન કરવામાં આવ્યું હતું જેની ફાયનલ મેચ ગતરોજ ભજ્જુ વાલા અને ડ્યૂરોકોન વચ્ચે રમાઈ હતી. જો કે ફાયનલ મેચ દરમ્યાન રન આઉટ આપવા બાબતે ભારે બબાલ થઈ હતી.રન આઉટ બાબતે યુવાનો સામસામે આવી ગયા હતા અને ખુરશી પણ ઉછળી હતી સાથે જ મારામારી પણ થઈ હતી.આ અંગેના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.
આ દ્રશ્યો જોતા જ ભરૂચ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના પ્રમુખ દુષ્યંત પટેલ અને લિગના ચેરમેન ઇસ્માઇલ મતાદારે મોરચો સંભળ્યો હતો. વિવાદના પગલે મેચ થોડો સમય માટે અટકાવી દેવામાં આવી હતી પરંતુ આગેવાનોની દરમ્યાનગીરીથી મામલો થાળે પડ્યો હતો અને મેચ પુન: શરૂ થઈ હતી.ફાયનલ મેચમાં ડ્યૂરોકોન ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો.જો કે સમગ્ર બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
Advertisment
Advertisment
Read the Next Article

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.

Advertisment