અંકલેશ્વર: ઉમરવાડાના બુરહાની ગ્રાઉન્ડ પર આયોજિત BPLની ફાયનલ મેચમાં બબાલ,વિડીયો થયા વાયરલ

ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL સિઝન-4ની ફાઈનલ મેચ ઉમરવાડા ગામના બુરહાની ગ્રાઉન્ડ ખાતે યોજાય હતી જેમાં રન આઉટ આપવા બાબતે બબાલ થતા મેચ રોકવાની ફરજ પડી હતી

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું હતું આયોજન

  • બુરહાની ગ્રાઉન્ડ પર BPLની ફાયનલ મેચ યોજાય

  • મેચ દરમ્યાન રન આઉટ બાબતે વિવાદ

  • વિવાદ બાદ ખુરશી ઉછળી

  • આગેવાનોએ મામલો થાળે પાડયો

ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL સિઝન-4ની ફાઈનલ મેચ ઉમરવાડા ગામના બુરહાની ગ્રાઉન્ડ ખાતે યોજાય હતી જેમાં રન આઉટ આપવા બાબતે બબાલ થતા મેચ રોકવાની ફરજ પડી હતી
અંકલેશ્વરના ઉમરવાડા ગામના બુરહાની ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL સિઝન-4નું આયોજન કરવામાં આવ્યું હતું જેની ફાયનલ મેચ ગતરોજ ભજ્જુ વાલા અને ડ્યૂરોકોન વચ્ચે રમાઈ હતી. જો કે ફાયનલ મેચ દરમ્યાન રન આઉટ આપવા બાબતે ભારે બબાલ થઈ હતી.રન આઉટ બાબતે યુવાનો સામસામે આવી ગયા હતા અને ખુરશી પણ ઉછળી હતી સાથે જ મારામારી પણ થઈ હતી.આ અંગેના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.
આ દ્રશ્યો જોતા જ ભરૂચ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના પ્રમુખ દુષ્યંત પટેલ અને લિગના ચેરમેન ઇસ્માઇલ મતાદારે મોરચો સંભળ્યો હતો. વિવાદના પગલે મેચ થોડો સમય માટે અટકાવી દેવામાં આવી હતી પરંતુ આગેવાનોની દરમ્યાનગીરીથી મામલો થાળે પડ્યો હતો અને મેચ પુન: શરૂ થઈ હતી.ફાયનલ મેચમાં ડ્યૂરોકોન ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો.જો કે સમગ્ર બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • વાલ્મિકી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ

  • વૃદ્ધનું મકાન તોડી પાડી દીકરીને માર મરાયો

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચના વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી 
ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વાલ્મિકી સમાજ અને વૃદ્ધ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે.