અંકલેશ્વર: રોટરી ક્લબના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ગરબાના સાગર રસમાં બન્યા તરબોળ

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત રોટરી ક્લબ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનો સાગરરસ છલકાય રહ્યો છે.

New Update

રોટરી ક્લબ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ઘૂમ્યા ગરબે  

ગરબા મહોત્સવમાં ખેલૈયાઓનો છલકાયો સાગર 

રોટરીના સભ્યો અને આગેવાનો પણ ગરબે ઘૂમ્યા 

કનેક્ટ ગુજરાતની ટીમે રોટરી ક્લબ નવરાત્રી મહોત્સવની લીધી વિશેષ મુલાકાત 

ગરબા આયોજકોએ સુરક્ષિત સેફ ગરબા આયોજનની કરી સરાહના 

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત રોટરી ક્લબ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનો સાગરરસ છલકાય રહ્યો છે.
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા રોટરી નવરાત્રી મહોત્સનવી વિશેષ મુલાકાત લેવામાં આવી હતી,અને આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવે,મીરા પંજવાણી તેમજ ફૂડ સ્ટેલનાં વેપારી સાથે ગરબા અંગેની રસપ્રદ વાતચીત કરવામાં આવી હતી,અને તેઓએ પોતાના અનુભવો કનેક્ટ ગુજરાત સાથે શેર કર્યા હતા.
રોટરી ક્લબ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મોટી સંખ્યમાં ગરબે ઘુમવા માટે ઉમટી રહ્યા છે.આયોજકો દ્વારા વરસાદના ભય વચ્ચે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે,અને ખેલૈયાઓના સાથ સહકારથી નવરાત્રી મહોત્સવમાં ગરબા પ્રેમીઓનો સાગર રસ છલકાય રહ્યો છે.રોટરી ક્લબની સાથે ઇનર વ્હીલ ક્લબની બહેનોએ પણ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે વિશેષ જહેમત ઉઠાવી છે.
રોટરી ક્લબ નવરાત્રી મહોત્સવમાં ગરબે ઘુમવા આવતા ખેલૈયાઓ અને મુલાકાતીઓ માટે સ્વાદિષ્ટ ચટાકેદાર વાનગીઓના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે,અને સ્વાદ પ્રેમીઓ  વિવિધ વાનગીઓને આરોગવાનો લુફ્ત ઉઠાવી રહ્યા છે.    
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.