અંકલેશ્વર: RSS દ્વારા પથસંચલનનું કરાયુ આયોજન,મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા

પ્રતિપદા ઉત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણવેશ સાથે શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયોજન

  • પથ સંચલનનું આયોજન કરાયું

  • વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી

  • મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

અંકલેશ્વરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ અંતર્ગત પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા
ચૈત્ર સુદ એકમ આ શુભ દિવસથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નવા વર્ષ કાર્યનો આરંભ કરે છે જે નિમિત્તે પ્રતિપદા ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે. પ્રતિપદા ઉત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણવેશ સાથે શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા અને પંચ સંચલન કર્યું હતું.
અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉનહોલ ખાતે પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું.હિન્દુ નવ વર્ષનો પ્રારંભ અને સૃષ્ટિ નિર્માણના દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આ દિવસની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીને બેસ્ટ ફાયનાન્સીયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવૉર્ડ એનાયત

નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીસ લી. દ્વારા આયોજીત "Cooperative Sugar Industry Conclave 2025" & "National Efficiency Awards Ceremony"માં

New Update
IMG-20250704-WA0064
નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીસ લી. દ્વારા આયોજીત "Cooperative Sugar Industry Conclave 2025" & "National Efficiency Awards Ceremony"માં ભારત સરકારના  કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને  કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે ભરૂચના હાંસોટમાં આવેલ પંડવાઈ સુગર ફેટકરીને વાર્ષિક કાર્યક્ષમતા પુરસ્કાર 2023-24 હેઠળ બેસ્ટ ફાયનાન્સીયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવૉર્ડ મળ્યો હતો.સુગર ફેકટરીના ચેરમેન અને અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતી.

IMG-20250704-WA0073

આ અંગે ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ પુરસ્કાર સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, જવાબદારી અને મજબૂત નાણાકીય શિસ્તનું પ્રતીક છે. આ સિદ્ધિ  તમામ ડિરેક્ટર, તમામ વિભાગનાં વડા, એન્જીનીયર, કેમીસ્ટ, કર્મચારી સહીત સભાસદમિત્રો/ખેડૂતોમિત્રો અને સહયોગીઓની સામૂહિક મહેનત અને વિશ્વાસનું પરિણામ છે.અમે આ સન્માનને વધુ પ્રગતિ અને પારદર્શક કામગીરી માટે પ્રેરણા તરીકે સ્વીકારીએ છીએ