New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયોજન
-
પથ સંચલનનું આયોજન કરાયું
-
વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી
-
મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
અંકલેશ્વરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ અંતર્ગત પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા
ચૈત્ર સુદ એકમ આ શુભ દિવસથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નવા વર્ષ કાર્યનો આરંભ કરે છે જે નિમિત્તે પ્રતિપદા ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે. પ્રતિપદા ઉત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણવેશ સાથે શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા અને પંચ સંચલન કર્યું હતું.
અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉનહોલ ખાતે પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું.હિન્દુ નવ વર્ષનો પ્રારંભ અને સૃષ્ટિ નિર્માણના દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આ દિવસની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.