અંકલેશ્વર: RSS દ્વારા પથસંચલનનું કરાયુ આયોજન,મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા

પ્રતિપદા ઉત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણવેશ સાથે શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયોજન

  • પથ સંચલનનું આયોજન કરાયું

  • વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી

  • મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

અંકલેશ્વરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ અંતર્ગત પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા
ચૈત્ર સુદ એકમ આ શુભ દિવસથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નવા વર્ષ કાર્યનો આરંભ કરે છે જે નિમિત્તે પ્રતિપદા ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે. પ્રતિપદા ઉત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણવેશ સાથે શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા અને પંચ સંચલન કર્યું હતું.
અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉનહોલ ખાતે પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું.હિન્દુ નવ વર્ષનો પ્રારંભ અને સૃષ્ટિ નિર્માણના દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આ દિવસની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.