અંકલેશ્વર શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 10 મો જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

.કૃષ્ણજન્મોત્સવ પ્રસંગ નિમિત્તે સરદાર ભવન ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.વરસાદમાં પણ કૃષ્ણભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, સતત 10માં વર્ષે જન્માષ્ટમી પ્રસંગ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

New Update

અંકલેશ્વરમાં જન્માષ્ટમીની શોભાયાત્રા યોજાઈ

જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

કૃષ્ણમવંદે જગદગુરુનો નાદ ગુંજયો

70થી વધુ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ જોડાઈ 

વરસાદમાં શોભાયાત્રામાં કૃષ્ણભક્તોનો ઉત્સાહ છલકાયો

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સતત 10 માં વર્ષે જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સરદાર ભવન ખાતેથી શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં 70 જેટલી સંસ્થાઓ પોતાની કૃતિઓથી સાંસ્કૃત્તિક અને ધાર્મિકતાથી સજ્જ રથ સાથે જોડાઇ હતી.
અંકલેશ્વર શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સતત 10માં વર્ષે જન્માષ્ટમી પ્રસંગ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.કૃષ્ણજન્મોત્સવ પ્રસંગ નિમિત્તે સરદાર ભવન ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.વરસાદમાં પણ કૃષ્ણભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ શોભાયાત્રા શ્રી સરદાર ભવન ખાતેથી પ્રસ્થાન થયેલી શોભાયાત્રા સાવન ચોકડી થી સહિતના વિસ્તારોમાં ફરીને શ્રી પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયથી સરદાર ભવન ખાતે પરત ફરી હતી.આ રથયાત્રા દરમિયાન સુંદર શણગાર કરેલા રથને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જીઆઈડીસી એસ્ટેટ કૃષ્ણમવંદે જગતગુરુના જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી કૃષ્ણના રંગે રંગાઈ ગયું હતું.આ અવસરને સફળ બનાવવા માટે  શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખ દુધાત,સેક્રેટરી દિનેશ ખૂંટ,સાંસ્કૃતિક કમિટી ચેરમેન અતુલ પટેલ સહિત સમાજના હોદેદારો તેમજ સભ્યો ભારે જહેમત ઉઠાવી હતી.
Read the Next Article

અંકલેશ્વર: શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા DGVCLના અધિકારીની દાદાગીરીના આક્ષેપ સાથે મામલતદારને કરાય રજુઆત

અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રતીક કાયસ્થ,સુરેશ પટેલ સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવાયું હતું.

New Update
  • અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

  • ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રજુઆત

  • વીજ કંપનીના અધિકારીની દાદાગીરીના આક્ષેપ

  • યોગ્ય પગલાં ભરવા કરાય માંગ

  • ટ્રસ્ટના આગેવાનો જોડાયા

શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ડી.જી.વી.સી.એલના જુનિયર એન્જીનીયરની દાદાગીરી વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું.
અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રતીક કાયસ્થ,સુરેશ પટેલ સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવાયું હતું.જેમાં જણાવ્યા અનુસાર ગણેશ મંડળો વતી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડી.જી.વી.સી.એલ વીજ કંપની ખાતે રજુઆત કરવા ગયા હતા તે સમયે વીજ કંપનીના મુખ્ય અધિકારીને બદલે જુનિયર એન્જીનીયર હર્ષ પ્રજાપતિ વચ્ચે જવાબો આપતા જેઓને તમારી પાસે રજુઆત લઈને નથી આવ્યા તેમ કહેતા તેઓ દાદાગીરી પૂર્વક જવાબ આપી ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં ત્યારે આવા બેજવાબદાર અધિકારી સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.