અંકલેશ્વર શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 10 મો જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

.કૃષ્ણજન્મોત્સવ પ્રસંગ નિમિત્તે સરદાર ભવન ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.વરસાદમાં પણ કૃષ્ણભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, સતત 10માં વર્ષે જન્માષ્ટમી પ્રસંગ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

New Update

અંકલેશ્વરમાં જન્માષ્ટમીની શોભાયાત્રા યોજાઈ

જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

કૃષ્ણમવંદે જગદગુરુનો નાદ ગુંજયો

70થી વધુ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ જોડાઈ 

વરસાદમાં શોભાયાત્રામાં કૃષ્ણભક્તોનો ઉત્સાહ છલકાયો

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સતત 10 માં વર્ષે જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સરદાર ભવન ખાતેથી શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં 70 જેટલી સંસ્થાઓ પોતાની કૃતિઓથી સાંસ્કૃત્તિક અને ધાર્મિકતાથી સજ્જ રથ સાથે જોડાઇ હતી.
અંકલેશ્વર શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સતત 10માં વર્ષે જન્માષ્ટમી પ્રસંગ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.કૃષ્ણજન્મોત્સવ પ્રસંગ નિમિત્તે સરદાર ભવન ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.વરસાદમાં પણ કૃષ્ણભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ શોભાયાત્રા શ્રી સરદાર ભવન ખાતેથી પ્રસ્થાન થયેલી શોભાયાત્રા સાવન ચોકડી થી સહિતના વિસ્તારોમાં ફરીને શ્રી પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયથી સરદાર ભવન ખાતે પરત ફરી હતી.આ રથયાત્રા દરમિયાન સુંદર શણગાર કરેલા રથને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જીઆઈડીસી એસ્ટેટ કૃષ્ણમવંદે જગતગુરુના જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી કૃષ્ણના રંગે રંગાઈ ગયું હતું.આ અવસરને સફળ બનાવવા માટે  શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખ દુધાત,સેક્રેટરી દિનેશ ખૂંટ,સાંસ્કૃતિક કમિટી ચેરમેન અતુલ પટેલ સહિત સમાજના હોદેદારો તેમજ સભ્યો ભારે જહેમત ઉઠાવી હતી.
Read the Next Article

ભરૂચ: ઝઘડિયાના સારસા ગામમાં તંત્રએ ન કર્યું તે બાળકોએ કરી બતાવ્યું, રસ્તાના ખાડા જાતે પૂર્યા

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 

New Update
  • ભરૂચના ઝગઘડિયાના સારસાનો બનાવ 

  • બાળકોએ કર્યું સરાહનીય કાર્ય

  • રસ્તા પરના ખાડા જાતે પૂર્યા

  • વાહનચાલકોને મળી રાહત

  • બાળકોની કામગીરી લોકોએ આવકારી

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 
ભરૂચના ઝઘડિયા સારસા ગામ તરફ જતાં મુખ્ય રસ્તા પર ચોમાસાની શરૂઆતથી મસમોટા ખાડા પડેલા હતા.અહીંથી પસાર થતાં વાહનો માટે સતત અકસ્માતનો ભય રહેતો હતો. આ સમસ્યા સામેતંત્રે ધ્યાન ન આપ્યું તો મોટાઓએ માત્ર ટીકાઓ કરી પણ ગામના નાનાં બાળકો આગળ આવ્યા હતા.  શાળા જઈ રહેલા બાળકોના અકસ્માત અટકે એ માટે તેમણે રસ્તાના ખાડા પોતે પૂર્યા હતા. રસ્તાની સફાઈ કરીને માટી અને પથ્થર નાંખી તેમણે ખાડા સમતળ કર્યા હતા. આ પ્રકારની કામગીરી દેશના ભવિષ્યના નાગરિકોની સમજદારી દર્શાવે છે પણ તંત્ર માટે સવાલ ઊભો કરે છે કે જે કામ બાળકો કરી શકે છે તે મોટું તંત્ર કેમ નહીં?