અંકલેશ્વર: ગોલ્ડનબ્રિજ નજીક ભાઈની નજર સામે જ બહેન નર્મદા નદીમાં તણાય, ફાયર વિભાગ અને નાવિકોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

અંકલેશ્વરના કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નાહવા પડેલ ભાઈ બહેન પૈકી બહેન ભાઈની નજર સામે નદીના પાણીમાં તણાઈ હતી જેની સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

New Update
  • ગોલ્ડનબ્રિજની અંકલેશ્વર તરફનો બનાવ

  • ભાઈ બહેન નર્મદા નદીમાં નાહી રહ્યા હતા

  • ભાઈની નજર સામે જ બહેન નદીમાં તણાય

  • સ્થાનિક નાવિકો દોડી આવ્યા

  • ફાયર વિભાગે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

અંકલેશ્વરના કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નાહવા પડેલ ભાઈ બહેન પૈકી બહેન ભાઈની નજર સામે નદીના પાણીમાં તણાઈ હતી જેની સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મધુ દીપુ સિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ કોવિડ સ્મશાન નજીક આજે સવારે નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. ભાઈ બહેન નદીમાં નાહી રહ્યા હતા તે દરમિયાન બહેન અચાનક જ નદીના પાણીમાં તણાવવા લાગી હતી જેના પગલે ભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમ સાંભળી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને આ અંગેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતીમઆ તરફ ફાયર ફાયટરો પણ નદી કિનારે પહોંચ્યા હતા અને પાણીમાં ગુમ યુવતીની શોધખોળ શરૂ કરી હતી.પોતાની નજર સામે બહેનને નદીના પાણીમાં તણાતા જોઈ ભાઈ ડઘાઈ ગયો હતો.
બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આમ આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે મધુ સિંહના 2 વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા અને કમળાની સારવાર લીધા બાદ ગતરોજ જ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.આજે સવારે ભાઈ સાથે નદીમાં નહાવા આવતા આ દુર્ઘટના સર્જાય હતી.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.