અંકલેશ્વર: ગોલ્ડનબ્રિજ નજીક ભાઈની નજર સામે જ બહેન નર્મદા નદીમાં તણાય, ફાયર વિભાગ અને નાવિકોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

અંકલેશ્વરના કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નાહવા પડેલ ભાઈ બહેન પૈકી બહેન ભાઈની નજર સામે નદીના પાણીમાં તણાઈ હતી જેની સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

New Update
  • ગોલ્ડનબ્રિજની અંકલેશ્વર તરફનો બનાવ

  • ભાઈ બહેન નર્મદા નદીમાં નાહી રહ્યા હતા

  • ભાઈની નજર સામે જ બહેન નદીમાં તણાય

  • સ્થાનિક નાવિકો દોડી આવ્યા

  • ફાયર વિભાગે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

અંકલેશ્વરના કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નાહવા પડેલ ભાઈ બહેન પૈકી બહેન ભાઈની નજર સામે નદીના પાણીમાં તણાઈ હતી જેની સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મધુ દીપુ સિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ કોવિડ સ્મશાન નજીક આજે સવારે નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. ભાઈ બહેન નદીમાં નાહી રહ્યા હતા તે દરમિયાન બહેન અચાનક જ નદીના પાણીમાં તણાવવા લાગી હતી જેના પગલે ભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમ સાંભળી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને આ અંગેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતીમઆ તરફ ફાયર ફાયટરો પણ નદી કિનારે પહોંચ્યા હતા અને પાણીમાં ગુમ યુવતીની શોધખોળ શરૂ કરી હતી.પોતાની નજર સામે બહેનને નદીના પાણીમાં તણાતા જોઈ ભાઈ ડઘાઈ ગયો હતો.
બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આમ આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે મધુ સિંહના 2 વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા અને કમળાની સારવાર લીધા બાદ ગતરોજ જ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.આજે સવારે ભાઈ સાથે નદીમાં નહાવા આવતા આ દુર્ઘટના સર્જાય હતી.
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.