અંકલેશ્વર: SOGએ ગેરકાયદેસર ગેસ રિફીલિંગના 2 કૌભાંડ ઝડપી પાડ્યા, ગેસના 14 સિલિન્ડર કબ્જે કરાયા

અંકલેશ્વરના શાંતિનગર સ્થિત યોગીનગરમાં આવેલ અનુરાધા કોમ્પલેક્ષમાં ચીસતીયા હાર્ડવેર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇમરાન અન્સારી ગેસ રિફીલિંગ કરી રહયો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

New Update
  • ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી

  • અંકલેશ્વરમાં પાડવામાં આવ્યા દરોડા

  • બે અલગ અલગ સ્થળોએથી ગેસ રિફીલિંગના કૌભાંડ ઝડપાયા

  • 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

  • કુલ 14 ગેસ સિલિન્ડર કબ્જે કરાયા

Advertisment
ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં દુકાનમાં ચાલતા ગેરકાયદેસર  ગેસ રિફીલિંગના કૌભાંડ ઝડપી પાડી 2 આરોપીઓની  ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના શાંતિનગર સ્થિત યોગીનગરમાં આવેલ અનુરાધા કોમ્પલેક્ષમાં ચીસતીયા હાર્ડવેર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇમરાન અન્સારી ગેસ રિફીલિંગ કરી રહયો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલ મળી 11 નંગ ગેસ સિલિન્ડર અને વજન કાંટો તેમજ રિફીલિંગ પાઈપ કબ્જે કરી હતી અને રાજપીપળા રોડ ઉપર યોગી નગરમાં રહેતો ઇમરાન સીરાજ અન્સારીને ઝડપી પાડ્યો હતો.
તો આવી જ રીતે પોલીસે સારંગપુરના લક્ષ્મણ નગરમાં કાલી માતાના મંદિર પાસે દુકાનમાં સરવણકુમાર ખટીક ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 3 ગેસના સિલિન્ડર કબ્જે કર્યા હતા.પોલીસે આમ બંને સ્થળોથી 14 નંગ ગેસના સિલિન્ડર કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment