અંકલેશ્વર: SOGએ ગેરકાયદેસર ગેસ રિફીલિંગના 2 કૌભાંડ ઝડપી પાડ્યા, ગેસના 14 સિલિન્ડર કબ્જે કરાયા

અંકલેશ્વરના શાંતિનગર સ્થિત યોગીનગરમાં આવેલ અનુરાધા કોમ્પલેક્ષમાં ચીસતીયા હાર્ડવેર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇમરાન અન્સારી ગેસ રિફીલિંગ કરી રહયો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

New Update
  • ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી

  • અંકલેશ્વરમાં પાડવામાં આવ્યા દરોડા

  • બે અલગ અલગ સ્થળોએથી ગેસ રિફીલિંગના કૌભાંડ ઝડપાયા

  • 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

  • કુલ 14 ગેસ સિલિન્ડર કબ્જે કરાયા

ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં દુકાનમાં ચાલતા ગેરકાયદેસર  ગેસ રિફીલિંગના કૌભાંડ ઝડપી પાડી 2 આરોપીઓની  ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના શાંતિનગર સ્થિત યોગીનગરમાં આવેલ અનુરાધા કોમ્પલેક્ષમાં ચીસતીયા હાર્ડવેર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇમરાન અન્સારી ગેસ રિફીલિંગ કરી રહયો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલ મળી 11 નંગ ગેસ સિલિન્ડર અને વજન કાંટો તેમજ રિફીલિંગ પાઈપ કબ્જે કરી હતી અને રાજપીપળા રોડ ઉપર યોગી નગરમાં રહેતો ઇમરાન સીરાજ અન્સારીને ઝડપી પાડ્યો હતો.
તો આવી જ રીતે પોલીસે સારંગપુરના લક્ષ્મણ નગરમાં કાલી માતાના મંદિર પાસે દુકાનમાં સરવણકુમાર ખટીક ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 3 ગેસના સિલિન્ડર કબ્જે કર્યા હતા.પોલીસે આમ બંને સ્થળોથી 14 નંગ ગેસના સિલિન્ડર કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર : દ્રષ્ટિહીન બાળકીનું સ્વપ્ન,શિક્ષણ-સશક્તિકરણ ક્ષેત્રે અદભુત સાહસ,ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ અંધકારમય જીવનમાં પૂર્યો ઉજાસ

મુસ્લિમ પરિવારની દીકરી હુરબાનુ મહોમદ જાવીદ લાકડાવાલા જન્મથી જ અંધ છે,કુદરતે ભલે આ દીકરીની દ્રષ્ટિ છીનવી લીધી હોય પરંતુ તેના સાહસે અશક્યને પણ શક્ય કરી બતાવ્યું છે.

New Update
  • દ્રષ્ટિહીન દીકરીનું અદભુત સાહસ

  • દીકરી સ્વપ્ન,શિક્ષણ-સશક્તિકરણની પ્રેરણા

  • ધો.9માં અભ્યાસ કરે છે દીકરી

  • બ્લાઇન્ડ સેન્ટર ઉપરાંત શાળામાં કરે છે અભ્યાસ

  • રેલવેમાં એનાઉન્સમેન્ટ બનવાનું દીકરીનું સ્વપ્ન   

અંકલેશ્વરના કસ્બાતીવાડમાં રહેતા મુસ્લિમ પરિવારની એક દીકરીએ પોતાના અંધકારમય જીવનમાં ઉજાસ પૂર્યો છે,જન્મથી જ કુદરતે આંખોની દ્રષ્ટિ છીનવી લીધી હતી,પરંતુ પોતાના મજબૂત મનોબળ થકી બ્લાઇન્ડ સ્કૂલની સાથે એમ ટી એમ ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.

ફિલ્મ અભિનેતા રાજકુમાર રાવ અભિનીત શ્રીકાંત ફિલ્મ સૌ કોઈ જોઈ હશે.જેમાં તેને એક અંધ બાળકનો અભિનય કર્યો હતો,અને પોતાના મજબૂત મનોબળ તેમજ દરેક પડકારોને માત આપીને એક સફળ બિઝનેસમેન બને છે,આ જીવનચરિત્રાત્મક ફિલ્મ શ્રીકાંત બોલાના જીવન આધારિત હતી,જે એક દૃષ્ટિહીન ઉદ્યોગપતિ અને બોલન્ટ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક છે.આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી નહોતી પરંતુ અશક્ત લોકો કે જે સંઘર્ષ કરતા પણ ડરે છે,તેમના માટે પ્રેરણારૂપ ફિલ્મ હતી.જોકે આ ફિલ્મને મળતી આવતી એક ઘટના અંકલેશ્વરમાં પણ જીવંત છે.

અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડમાં રહેતા મુસ્લિમ પરિવારની દીકરી હુરબાનુ મહોમદ જાવીદ લાકડાવાલા જન્મથી જ અંધ છે,કુદરતે ભલે આ દીકરીની દ્રષ્ટિ છીનવી લીધી હોય પરંતુ તેના સાહસે અશક્યને પણ શક્ય કરી બતાવ્યું છે.પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ હુરબાનુએ શાળામાં અભ્યાસ કરીને પોતાના સ્વપ્નાઓને સાકાર કરવા માટેના પ્રયત્નો કરી રહી છે.પોતાના જીવનના સંઘર્ષનું વર્ણન કરતા હુરબાનુએ જણાવ્યું હતું કે ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરની સાથે સાથે એમ ટી એમ ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 9માં સામાન્ય વિદ્યાર્થીઓ સાથે તે અભ્યાસ કરે છે,દ્રષ્ટિહીન હોવાના કારણે શિક્ષક જે પણ ભણાવે છે તે પોતે કંઠસ્થ કરીને અભ્યાસ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી રહી છે.

હુરબાનુએ ધોરણ 1 થી 8 સુધી શહેરની મુખ્ય કન્યા શાળા-1માં અભ્યાસ કર્યો હતો.હુરબાનુ બ્લાઇન્ડ વ્યક્તિઓ માટેના ટોકબેક મોડનો ઉપયોગ કરીને મોબાઈલમાં તમામ પ્રકારની સોશિયલ મીડિયા સાઈટનો ઉપયોગ કરે છે.અને હુરબાનુને સારો અભ્યાસ કરીને રેલવેમાં એનાઉન્સમેન્ટ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.શાળામાં સહપાઠીઓ તેમજ શિક્ષકોનો પણ તેને ખુબ સારો સહકાર મળતા તે આ વાતાવરણમાં પોતાને ખૂબ જ સુરક્ષિત મહેસુસ કરી રહી છે.

અંકલેશ્વરના કસ્બાતીવાડમાં રહેતી અને જન્મથી દ્રષ્ટિહીન હુરબાનું મોહમદ જાવીદ લાકડાવાલા સંયુક્ત પરિવારમાં રહે છે,અને ફેમિલીમાં 8 સભ્યો છે.તેના પિતા પેટ્રોલ પંપ પર કામ કરે છે,જ્યારે માતા સાજ્યા પરવીણ લાકડાવાલા ગૃહિણી છે અને તેનો ભાઈ ધોરણ 10માં અભ્યાસ કરે છે.નગરપાલિકા સંચાલિત એમ ટી એમ ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી હુરબાનુએ પોતાના દ્રષ્ટિહીન જીવનમાં સ્વપ્ન,શિક્ષણ-સશક્તિકરણ થકી રંગ પૂર્યા છે.અને પરિવારજનો ઉપરાંત શાળા પરિવાર દ્વારા પણ દીકરીના મનોબળને વધુ મજબૂત બનાવવા માટે હિંમતરૂપ હૂંફ પૂરી પાડી રહ્યા છે.