અંકલેશ્વર: ભડકોદ્રાની ક્રિષ્નાપાર્ક સોસા.ના મકાનમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો !

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે

New Update
  • અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો બનાવ

  • ક્રિષ્નાપાર્ક સોસા.માંથી મળ્યો મૃતદેહ

  • મકાનમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

  • આપઘાત કર્યો હોવાનું અનુમાન

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો ધર્મેશ પંચાલ નામનો યુવાન  શુક્રવારથી  ઘરની બહાર નજરે નહીં પડતા સ્થનિકોએ તેના મોટાભાઈને જાણ કરી હતી.તેના ભાઈએ સ્થળ પર દોડી આવી બારીનો કાચ તોડી અંદર જોતા યુવાન બેડ પર બેશુદ્ધ નજરે પડ્યો હતો.આ અંગે પોલીસને જાણ કરાતા જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે જીઆઈડીસી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Read the Next Article

ભરૂચ: ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનન અને વહન પર કરી લાલ આંખ, રેતી ભરેલા 10 ડમ્પર સહિત રૂ.4.35 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક

author-image
By Connect Gujarat Desk
New Update
WhatsApp Image 2025-06-23 at 2.33.37 PM (1)
ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક તપાસ કરતા ABC ચોકડી ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન, રાજપારડી પોલીસ સ્ટેશન તથા ઝગડિયા પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે.વધુમાં, તારીખ ૨૦ જૂન ૨૦૨૫ના રોજ ભરૂચ તાલુકાના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બીનઅધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરતા ૨ એક્ષેવેટર મશીન અને 3 વાહનો ડમ્પર વાહનો એમ મળી કુલ ૯૦ લાખનો મુદામાલ સીઝ કર્યો અને સ્થળે મળી આવેલી સાદી રેતી ખનીજના ઢગલાની માપણી કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.