અંકલેશ્વર : સિંધવ મીઠું વેચતા વેપારીઓની હાલત કફોડી બની, જથ્થામાં ઘટાડો થતા ભાવમાં થયો વધારો

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી,

New Update
  • ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ

  • સિંધવ મીઠાના વેપારીઓને હાલાકી

  • સિંધ પ્રદેશથી આવતા મીઠાનો પુરવઠો ઘટ્યો

  • મીઠાનો પુરવઠો ઘટતા ભાવમાં થયો વધારો

  • સિંધવ મીઠું આરોગ્ય માટે છે ગુણકારી 

અંકલેશ્વરમાં પંજાબ અને રાજસ્થાનથી સિંધવ મીઠાનો વેપાર કરતા વેપારીઓની હાલત હાલમાં કફોડી બની છે.ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિએ તેઓના વેપારને પણ અસર પહોંચાડી છે.સિંધ પ્રદેશથી આવતા કાળા અને આછા પીળાશ પડતા સિંધવ મીઠાનો પુરવઠો ઘટતા ભાવમાં વધારો થયો છે.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી,અને પાકિસ્તાનમાં આસરો લેનાર આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કરવાની સાથે 100 આતંકીઓને ઉડાવી દીધા હતા.ત્યાર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું,જોકે આ તણાવભરી પરિસ્થિતિ વચ્ચે અન્ય રાજ્યમાંથી અંકલેશ્વરમાં વેપાર કરવા માટે આવતા વેપારીઓ હાલ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.અને રાજસ્થાન અને પંજાબથી કેટલાક વેપારીઓ ટેમ્પામાં સિંધ પ્રદેશનું કાળું અને આછા પીળાશ પડતા સિંધવ મીઠું વેચવા માટે પડાવ નાખ્યો છે.જોકે  ભારત પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિએ સિંધવ મીઠાના પુરવઠા પર અસર પહોંચાડી છે.જેના કારણે વેપારીઓ પાસે સિંધવ મીઠાનો પુરવઠો ઘટવાની સાથે તેના ભાવમાં પણ વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

જોકે હવે ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનો  અમલ થતા આવનાર સમયમાં સિંધવ મીઠાનો પુરવઠો મળતાની સાથે જ ભાવ નિયંત્રણમાં આવશે તેવી આશા પણ વેપારી વ્યક્ત કરી રહ્યા છે.

 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.