અંકલેશ્વર : સિંધવ મીઠું વેચતા વેપારીઓની હાલત કફોડી બની, જથ્થામાં ઘટાડો થતા ભાવમાં થયો વધારો

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી,

New Update
  • ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ

  • સિંધવ મીઠાના વેપારીઓને હાલાકી

  • સિંધ પ્રદેશથી આવતા મીઠાનો પુરવઠો ઘટ્યો

  • મીઠાનો પુરવઠો ઘટતા ભાવમાં થયો વધારો

  • સિંધવ મીઠું આરોગ્ય માટે છે ગુણકારી 

Advertisment
2/38

અંકલેશ્વરમાં પંજાબ અને રાજસ્થાનથી સિંધવ મીઠાનો વેપાર કરતા વેપારીઓની હાલત હાલમાં કફોડી બની છે.ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિએ તેઓના વેપારને પણ અસર પહોંચાડી છે.સિંધ પ્રદેશથી આવતા કાળા અને આછા પીળાશ પડતા સિંધવ મીઠાનો પુરવઠો ઘટતા ભાવમાં વધારો થયો છે.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી,અને પાકિસ્તાનમાં આસરો લેનાર આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કરવાની સાથે 100 આતંકીઓને ઉડાવી દીધા હતા.ત્યાર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું,જોકે આ તણાવભરી પરિસ્થિતિ વચ્ચે અન્ય રાજ્યમાંથી અંકલેશ્વરમાં વેપાર કરવા માટે આવતા વેપારીઓ હાલ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.અને રાજસ્થાન અને પંજાબથી કેટલાક વેપારીઓ ટેમ્પામાં સિંધ પ્રદેશનું કાળું અને આછા પીળાશ પડતા સિંધવ મીઠું વેચવા માટે પડાવ નાખ્યો છે.જોકે  ભારત પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિએ સિંધવ મીઠાના પુરવઠા પર અસર પહોંચાડી છે.જેના કારણે વેપારીઓ પાસે સિંધવ મીઠાનો પુરવઠો ઘટવાની સાથે તેના ભાવમાં પણ વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

જોકે હવે ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનો  અમલ થતા આવનાર સમયમાં સિંધવ મીઠાનો પુરવઠો મળતાની સાથે જ ભાવ નિયંત્રણમાં આવશે તેવી આશા પણ વેપારી વ્યક્ત કરી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટ પંથકમાં નવા વર્ષે કમોસમી વરસાદ, ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ !

ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

New Update
Screenshot_2025-10-22-15-57-15-21_92460851df6f172a4592fca41cc2d2e6
ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.અચાનક પડેલા આ વરસાદથી રસ્તાઓ પર સૂકવવા મુકાયેલ ડાંગર પલળી જવાથી ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી.
Advertisment

ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ 

પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી દીધું હતું પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર ભીનું થઈ ગયું, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા આ કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે.
Latest Stories