અંકલેશ્વર : ફેફસાની નળીના બલ્ડ પ્રેસરથી પીડાતા બાળકને મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોએ આપ્યું નવું જીવનદાન...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીના બલ્ડ પ્રેસરથી પીડાતા બાળકને યોગ્ય સારવાર આપી મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોએ નવું જીવનદાન આપ્યું છે.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીના બલ્ડ પ્રેસરથી પીડાતા બાળકને યોગ્ય સારવાર આપી મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોએ નવું જીવનદાન આપ્યું છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ગામે રહેતા મહેબૂબ ઇબ્રાહિમ મીરઝાની પત્ની અરજુમનબેને  ભરૂચમાં બાળકોની હોસ્પિટલ ખાતે  બાળકને જન્મ આપ્યો હતો. જોકેજન્મતા જ બાળકને ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીનું બલ્ડ પ્રેસર વધારે હતું. જેના કારણે બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી મેહબૂબભાઇ અને તેમની પત્ની અરજુમનબેન  ભરૂચની હોસ્પિટલમાંથી તાત્કાલીક ગંભીર હાલતમાં બાળકને લઇ અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવ્યા હતાજ્યાં હોસ્પિટલના તબીબ ડો. નીરજ ગુપ્તાએ બાળકને દાખલ કરી સારવાર શરૂ કરી હતી. આ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજનાની સુવિધા ઉપલબ્ધ હોવાથી આયુષ્યમાન યોજના હેઠળ બાળકની સારવાર શરૂ કરાય હતી.

જોકેબાળક અત્યંત ગંભીર હાલતમાં હોવાથી ડો. નીરજ ગુપ્તાએ બાળકને તાત્કાલીક નાઈટ્રીક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફ્રીક્વેન્સી વેન્ટીલેટર ઉપર રાખી સારવાર શરૂ કરી હતી. જેમાં  ડો. નીરજ ગુપ્તાએ  બાળકને 2 દિવસ નાઈટ્રીક ઓક્સાઇડ ગેસ ઉપર અને 10 દિવસ  હાઈ ફ્રીક્વેન્સી વેન્ટીલેટર ઉપર રાખતા બાળકની હાલતમાં સુધારો થયો હતો. જોકેએક મહિનો અને 10 દિવસની સફળ સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતા તેના માતાપિતાની આંખમાં હર્ષના આંસુ છલકાય  ગયા હતા. પોતાના વ્હાલસોયા બાળકને આયુષ્યમાન ભારત યોજના હેઠળ નવું જીવનદાન મળતા મેહબૂબભાઇ અને તેમની પત્ની અરજુમનબેનના ચહેરા પર અપાર ખુશી જોવા મળી હતીઅને હોસ્પિટલમાંથી રજા આપતા ડો. નીરજ ગુપ્તા સહીતના સ્ટાફે પણ તેઓની ખુશીમાં સામેલ થયા હતા.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.