અંકલેશ્વર: DGVCLની નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું નાણા પ્રધાન કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ !

અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરી રૂપિયા 6 કરોડ 69 લાખના ખર્ચે 2855 ચો.મી. બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • DGVCLની પેટા વિભાગીય કચેરીનું કરાયુ નિર્માણ

  • રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈના હસ્તે કરાયુ લોકાર્પણ

  • ધારાસભ્યો અને આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

  • DGVClને નંબર- 1 રેટિંગ મળ્યું: કનુ દેસાઈ

Advertisment

અંકલેશ્વરમાં નવનિર્મિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીનું રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી તેમજ અંકલેશ્વર ઔદ્યોગિકઅંકલેશ્વર પૂર્વઅંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી તથા પાલેજ પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ONGC વર્કશોપ નજીક આવેલ DGVCLના કમ્પાઉન્ડમાં યોજાયેલ લોકાર્પણ સમારોહમાં રાજ્યના નાણા અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમના હસ્તે પેટા વિભાગીય કચેરીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીજંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીઅંકલેશ્વર નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતદક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમ.ડી. યોગેશ ચૌધરી સહિત વીજ કંપનીના અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

ભાડાના મકાનમાં કાર્યરત એવી અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરીઅંકલેશ્વર ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરીઅંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરી રૂપિયા 6 કરોડ 69 લાખના ખર્ચે 2855 ચો.મી. બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેનાથી અંકલેશ્વર GIDC વિસ્તાર ઝગડીયા GIDC વિસ્તાર ,  પાનોલી GIDC વિસ્તાર તથા અંકલેશ્વર શહેરના વીજ ગ્રાહકોને અદ્યતન સુખ સુવિધા વાળી ઓફિસ મળશે અને વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થશે.

આ પ્રસંગે નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે દેશની 42 જેટલી વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો હતો.જેમાંથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એ રેટિંગ મળ્યું છે એટલે કે ડીજીવીસીએલ નંબર વન કહી શકાય.દક્ષિણ ગુજરાત વીજ કંપની ગુજરાતના સૌથી મોટા બે ઔદ્યોગિક હબ વાપી અને અંકલેશ્વરને કવર કરે છે,ત્યારે અંકલેશ્વરની આ પેટા વિભાગીય કચેરી વીજ પુરવઠાના સુચારુ આયોજન માટે અતિ મહત્વની સાબિત થશે.

Advertisment
Latest Stories