અંકલેશ્વર: જવાહરબાગ નજીક આવેલ સરકારી હોસ્પિટલની દીવાલ નમી પડી !

ભારે વરસાદને પગલે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડતાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે.

New Update

ભારે વરસાદને પગલે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડતાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે.

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને વાણિજ્યલક્ષ્મી કોમ્પ્લેક્ષ સહિતના બિલ્ડીંગનું કામ અંદાજિત 2.99 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું.તે સમયે કોન્ટ્રાકટર દ્વારા નગર પાલિકાના દવાખાના અને જવાહર બાગ વચ્ચેની દીવાલ પણ બનાવી હતી જે દીવાલ આજરોજ ખાબકેલા ભારે વરસાદમાં નમી પડી હતી જે કામગીરીમાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે.ત્યારે પાલિકાના મુખ્ય અધિકારીએ ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડી છે જે કોન્ટ્રાકટરના ક્રાઇટ એરિયામાં હૉય કોન્ટ્રાકટરને પત્ર લખી જાણ કરવા સાથે ડિપોજીટ જમા હોવાથી વરસાદ થંભી જશે જે બાદ કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.
Read the Next Article

ભરૂચ: કતોપોર દરવાજા વિસ્તારમાં વૃક્ષ જર્જરીત મકાન પર ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચના કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું.

New Update
gar

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચના કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું.

વૃક્ષ નજીકમાં આવેલા જર્જરીત મકાન પર ધારાશયી થતા દોડધામ મચી જવા પામી હતી.જોકે મકાનમાં કોઈ રહેતું ન હોવાના કારણે મોટી દુર્ઘટના અટકી હતી. બનાવની જાણ થતા જ નગરસેવા સદન તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી વૃક્ષને બાજુ પર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા પહેલાં નગરસેવા સદન દ્વારા મકાનો ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી આમ છતાં કોઈ ત્વરિત કામગીરી ન થતાં આવી દુર્ઘટનાઓ વારંવાર બને છે.