અંકલેશ્વર: જવાહરબાગ નજીક આવેલ સરકારી હોસ્પિટલની દીવાલ નમી પડી !

ભારે વરસાદને પગલે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડતાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે.

New Update

ભારે વરસાદને પગલે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડતાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે.

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને વાણિજ્યલક્ષ્મી કોમ્પ્લેક્ષ સહિતના બિલ્ડીંગનું કામ અંદાજિત 2.99 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું.તે સમયે કોન્ટ્રાકટર દ્વારા નગર પાલિકાના દવાખાના અને જવાહર બાગ વચ્ચેની દીવાલ પણ બનાવી હતી જે દીવાલ આજરોજ ખાબકેલા ભારે વરસાદમાં નમી પડી હતી જે કામગીરીમાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે.ત્યારે પાલિકાના મુખ્ય અધિકારીએ ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડી છે જે કોન્ટ્રાકટરના ક્રાઇટ એરિયામાં હૉય કોન્ટ્રાકટરને પત્ર લખી જાણ કરવા સાથે ડિપોજીટ જમા હોવાથી વરસાદ થંભી જશે જે બાદ કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.
Read the Next Article

અંકલેશ્વર: શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા DGVCLના અધિકારીની દાદાગીરીના આક્ષેપ સાથે મામલતદારને કરાય રજુઆત

અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રતીક કાયસ્થ,સુરેશ પટેલ સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવાયું હતું.

New Update
  • અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

  • ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રજુઆત

  • વીજ કંપનીના અધિકારીની દાદાગીરીના આક્ષેપ

  • યોગ્ય પગલાં ભરવા કરાય માંગ

  • ટ્રસ્ટના આગેવાનો જોડાયા

શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ડી.જી.વી.સી.એલના જુનિયર એન્જીનીયરની દાદાગીરી વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું.
અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રતીક કાયસ્થ,સુરેશ પટેલ સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવાયું હતું.જેમાં જણાવ્યા અનુસાર ગણેશ મંડળો વતી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડી.જી.વી.સી.એલ વીજ કંપની ખાતે રજુઆત કરવા ગયા હતા તે સમયે વીજ કંપનીના મુખ્ય અધિકારીને બદલે જુનિયર એન્જીનીયર હર્ષ પ્રજાપતિ વચ્ચે જવાબો આપતા જેઓને તમારી પાસે રજુઆત લઈને નથી આવ્યા તેમ કહેતા તેઓ દાદાગીરી પૂર્વક જવાબ આપી ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં ત્યારે આવા બેજવાબદાર અધિકારી સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.