અંકલેશ્વર: શહેરી વિસ્તારોમાં ટ્રાફિકજામની વકરી રહેલ સમસ્યા,પોલીસ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ

અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ટ્રાફિકજામની પરિસ્થિતિથી વાહન ચાલકોને છુટકારો અપાવવા અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો.કુશલ ઓઝાએ ટ્રાફિકની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

New Update

અંકલેશ્વરમાં ટ્રાફિકજામની વકરી રહેલી સમસ્યા

અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ

વાહનચાલકો થાય છે પરેશાન

ડીવાયએસપી ડો. કુશલ ઓઝાએ કર્યું નિરીક્ષણ

પોલીસ અધિકારીઓ સાથે કરી ચર્ચા વિચારણા

અંકલેશ્વર શહેરમાં દિન પ્રતિદિન વકરી રહેલ ટ્રાફિક જામની પરિસ્થિતિનું વિભાગીય પોલીસવડા ડો.કુશલ ઓઝાએ નિરીક્ષણ કર્યું હતું. અંકલેશ્વર શહેરમાં ચોમાસાના પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બન્યા છે. બિસ્માર માર્ગ અને ટ્રાફિક મેનેજમેન્ટના અભાવે ટ્રાફિકજામની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

ખાસ કરીને અંકલેશ્વરના સ્ટેશન રોડ પર ચૌટાનાકા, ભરૂચીનાકા,ગાયત્રી મંદિર અને મહાવીર ટર્નિંગ સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ટ્રાફિકજામની પરિસ્થિતિથી વાહન ચાલકોને છુટકારો અપાવવા અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો.કુશલ ઓઝાએ ટ્રાફિકની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી હતી ત્યારે આવનારા સમયમાં અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બને એવી આશા સેવાય રહી છે

Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું