અંકલેશ્વર: શહેરી વિસ્તારોમાં ટ્રાફિકજામની વકરી રહેલ સમસ્યા,પોલીસ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ

અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ટ્રાફિકજામની પરિસ્થિતિથી વાહન ચાલકોને છુટકારો અપાવવા અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો.કુશલ ઓઝાએ ટ્રાફિકની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

New Update

અંકલેશ્વરમાં ટ્રાફિકજામની વકરી રહેલી સમસ્યા

અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ

વાહનચાલકો થાય છે પરેશાન

ડીવાયએસપી ડો. કુશલ ઓઝાએ કર્યું નિરીક્ષણ

પોલીસ અધિકારીઓ સાથે કરી ચર્ચા વિચારણા

અંકલેશ્વર શહેરમાં દિન પ્રતિદિન વકરી રહેલ ટ્રાફિક જામની પરિસ્થિતિનું વિભાગીય પોલીસવડા ડો.કુશલ ઓઝાએ નિરીક્ષણ કર્યું હતું. અંકલેશ્વર શહેરમાં ચોમાસાના પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બન્યા છે. બિસ્માર માર્ગ અને ટ્રાફિક મેનેજમેન્ટના અભાવે ટ્રાફિકજામની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

ખાસ કરીને અંકલેશ્વરના સ્ટેશન રોડ પર ચૌટાનાકા, ભરૂચીનાકા,ગાયત્રી મંદિર અને મહાવીર ટર્નિંગ સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ટ્રાફિકજામની પરિસ્થિતિથી વાહન ચાલકોને છુટકારો અપાવવા અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો.કુશલ ઓઝાએ ટ્રાફિકની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી હતી ત્યારે આવનારા સમયમાં અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બને એવી આશા સેવાય રહી છે

Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.