અંકલેશ્વર: 12 ગામોમાં ભરાતા હાટ બજાર પુન:શરૂ કરાવવાની વેપારીઓની માંગ, મામલતદારે હાટ બજાર પર ફરમાવ્યો છે મનાઈ હુકમ

અંકલેશ્વરમાં વિવિધ હાટ બજારમાં ધંધો કરતા વેપારી દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયુ હતું અને હાટ બજાર ચાલુ રાખવાની માંગ કરવામાં આવી હતી.

New Update
  • અંકલેશ્વરમાં હાટ બજારનો વિવાદ

  • મામલતદારે 12 ગામોમાં ભરાતા હાટ બજાર કરાવ્યા છે બંધ

  • વેપારીઓ દ્વારા પ્રાંત અધિકારીને કરવામાં આવી રજુઆત

  • હાટ બજાર પુન: ચાલુ કરાવવાની માંગ

  • આજીવિકા છીનવાઈ હોવાની રજુઆત

અંકલેશ્વરમાં વિવિધ હાટ બજારમાં ધંધો કરતા વેપારી દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયુ હતું અને હાટ બજાર ચાલુ રાખવાની માંગ કરવામાં આવી હતી.
અંકલેશ્વર મામલતદાર દ્વારા ટ્રાફિક સમસ્યા અને ગંદકી , તેમજ મંજૂરી વગર ધમધમતા હાટ બજાર બંધ કરવા પોલીસ અને જે તે 12 ગામના તલાટી કમ મંત્રીને હુકમ કર્યો હતો.આ 12 ગામમાં ભરાતા શનિવારી, રવિવારી, બુધવારી. સોમવારી. ગુરુવારી, મંગળવારી બજારમાં દુકાનો ખોલતા નાના છૂટક વેપારીઓ તેમજ શનિવારી બજારના આયોજક દ્વારા અંકલેશ્વર મામલતદાર અને એસ.ડી.એમને બજારો પુનઃ શરુ કરવાની માંગ સાથે  આવેદનપત્ર પાઠવ્યું હતું.નાયબ મામલતદાર ભરત પટેલને આવેદનપત્ર પાઠવી તેમના દ્વારા નાના ધંધા રોજગાર મેળવતા વેપારીના પરિવારની આજીવિકા છીનવાઈ રહી છે. તેમના પરિવારને હાટ બજાર બંધ થશે તો ભૂખે મરવાનો વારો આવશે એ સહિતની રજુઆત કરવામાં આવી હતી.
Read the Next Article

અંકલેશ્વર : NH 48 પર સતત ચોથા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.

New Update
Screenshot_2025-08-01-15-00-28-73_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે.